SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૧૫૩ . . અધ્યાત્મમત પરીક્ષા. . . . . . . . . . .૬૧ ભાવાર્થ-સંપ્રદાયપક્ષીનું એ કહેવું છે કે, આચારલક્ષણ એવંભાવરૂપ ચારિત્રનો સિદ્ધમાં અભાવ હોવા છતાં પણ આત્મામાં અવસ્થાનરૂપ ભાવાચરણ સિદ્ધમાં અબાધિત છે, માટે એવંભૂતનયથી સિદ્ધમાં ચારિત્ર માનવામાં વાંધો નથી. તેનો ઉત્તર સિદ્ધાંતકાર આપે છે કે એ વાત બરાબર નથી, કેમ કે એવંભૂતનયની પ્રસિદ્ધ વ્યુત્પત્તિ અર્થને આશ્રયીને પ્રવૃત્તિ છે, અને પ્રસિદ્ધ વ્યુત્પત્તિ ચારિત્રપદની આચરણારૂપ જ છે, અને તે આચરણા સિદ્ધમાં નથી માટે સિદ્ધમાં ચારિત્ર નથી. અહીં ચારિત્રપદની પ્રસિદ્ધ વ્યુત્પત્તિ નિર્જરાને અનુકૂળ આચરણા વિશેષરૂપ છે. તેથી પ્રાથમિક ભૂમિકામાં સમિતિ-ગુપ્તિની આચરણારૂપ હોય, અસંગદશામાં ધ્યાનરૂપ આચરણા હોય અને ચૌદમા ગુણસ્થાનકે યોગનિરોધરૂપ આચરણા હોય, અને તે સર્વઆચરણાઓ કર્મનિર્જરાને અનુકૂળ જીવના યત્ન સ્વરૂપ છે, અને તેને જ એવંભૂતનય ચારિત્ર તરીકે સ્વીકારે છે. એવંભૂતનયની વ્યુત્પત્તિને આશ્રયીને આચરણારૂપ ચારિત્રન કહીએ, અને સ્વભાવમાં સમવસ્થાનને ચારિત્ર કહીએ, તો જીવનો જ્ઞાન એ સ્વભાવ છે અને તે જ્ઞાનસ્વભાવમાં સમવસ્થાન એ જ ચારિત્ર પદાર્થ છે, એમ માનવું પડે. તેથી ચારિત્રપદથી જ્ઞાનાદિની ઉપસ્થિતિ કરવા માટે જે કાલાદિ દ્વારા અભેદવૃત્તિનું પ્રતિસંધાન કરવું પડે છે, તે કર્યા વગર પણ ચારિત્ર શબ્દના શ્રવણથી તરત જ સ્વભાવમાં સમવસ્થાનરૂપ પદાર્થની ઉપસ્થિતિ થશે; અને જ્ઞાન એ આત્માનો સ્વભાવ જ છે, તેમાં સમવસ્થાન એ જ ચારિત્રપદથી વાચ્ય છે, તેથી ચારિત્રપદથી જ્ઞાનાદિની ઉપસ્થિતિનો પ્રસંગ પ્રાપ્ત થશે. પરંતુ વાસ્તવિક રીતે ચારિત્રપદથી જ્ઞાનાદિની ઉપસ્થિતિ કાલાદિ દ્વારા અભેદવૃત્તિના પ્રતિસંધાનથી થાય છે. તેથી ચારિત્રપદથી વાચ્ય આત્મામાં અવસ્થાનરૂપ ચારિત્ર નથી, એ પ્રકારે સિદ્ધાંતકારનો આશય છે. ટિીકાર્ય - તામિપ્રદે-અહીંસંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે છે, તેવા પ્રકારના અભિપ્રાયના ગ્રહમાં=ચારિત્રથી આત્મામાં અવસ્થાનપદાર્થજઅભિમત છે એવા પ્રકારના અભિપ્રાયનાગ્રહમાં, તેનાથી=ચારિત્રપદથી, તથા ઉપસ્થિતિ =સ્વભાવસમવસ્થાનરૂપ જ્ઞાનાદિની ઉપસ્થિતિ, અવિરુદ્ધ જ છે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છેતથાપિ' - તો પણ ચારિત્રપદની પ્રવૃત્તિનિમિત્ત (ભાવાચરણથી) આક્રાંત જ્ઞાન જ પર્યવસગ્ન-ફલિત થયું, પરંતુ અતિરિક્ત= ચારિત્ર, નહીં; એથી કરીને વિપરીતની સિદ્ધિ થાય છે. ભાવાર્થ - સિદ્ધાંતકારના કથનનું તાત્પર્ય એ છે કે, સ્વભાવમાં સમવસ્થાન એ જ ચારિત્ર છે આ પ્રકારે પૂર્વપક્ષી કહે, અને એ પ્રકારની ઉપસ્થિતિને અવિરુદ્ધ કહે, તો પણ તેનાથી એ પ્રાપ્ત થાય કે, ચારિત્રપદની પ્રવૃત્તિનિમિત્ત એવું જે સ્વભાવમાં સમવસ્થાન તેનાથી આક્રાંત જ્ઞાન જ પ્રાપ્ત થયું, પરંતુ સિદ્ધમાં જ્ઞાનથી અતિરિક્ત ચારિત્ર પ્રાપ્ત થયું નહીં. અને સંપ્રદાયપક્ષીને સિદ્ધમાં જે ચારિત્ર અભિમત છે તે કેવલજ્ઞાનથી પૃથફરૂપે અભિમત છે, એથી તેની માન્યતાથી વિપરીત જ સિદ્ધ થાય છે. ટીકાર્થ “નિશન' - અહીં સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે, નિશ્ચયનયથી જ્ઞાનમાં ચારિત્રની અભેદની સિદ્ધિ હોવા છતાં પણ વ્યવહારનયથી ભેદ સિદ્ધ થશે માટે વ્યવહારનયથી જ્ઞાનથી પૃથફ ચારિત્રની સિદ્ધિ થશે.)
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy