________________
ગાથા : ૧૧૪ . . . . . . . • • • • • • • • • • • •
અધ્યાત્મમત પરીક્ષા....
• . . . . . . . . .૭૫૭ ‘તાવ- આથી કરીને જ=નિશ્ચયનયવડે ફળવાળાપણાથી જ વસ્તુની સત્તાનો સ્વીકાર કરેલ છે આથી કરીને જ, સતુ એવું પણ જ્ઞાનવિરતિલક્ષણ ફળ વિના જ્ઞાન નથી, અને અસત્ એવું પણ તે=જ્ઞાન, સ્વમાદિમાં અપ્રમાદીને (અપ્રમત્ત સાધુઓને) ફળના સદ્ભાવથી વિદ્યમાન જ છે.
ટીકા - ર વૈર્વ વસ્તુનઃ પુરુષવવક્ષાનુસરિતાપત્તિ, સ્વરૂપનુરિત્વે િતી વ્યપદેશવિશેષી पुरुषविवक्षाधीनत्वात्, कथंचित्तदनुसारितायामपि स्याद्वादिनामदोषाच्च ।।
ટીકાર્ય - વૈવ' - આ રીતે સિદ્ધમાં ચારિત્ર નથી તો પણ ચારિત્રનું ફળ ત્યાં હોવાને કારણે નિશ્ચયનય વડે સિદ્ધમાં ચારિત્ર સ્વીકારાય છે એ રીતે, વસ્તુની પુરુષવિવક્ષાનુસારિતાની આપત્તિ આવશે. (અર્થાત્ વસ્તુ સ્વરૂપે તેવી નહીં હોવા છતાં, પુરુષ વસ્તુ છે એવી વિવક્ષા કરે એટલા માત્રથી વસ્તુની પ્રાપ્તિ થવારૂપ વિવક્ષાનુસારિતાની આપત્તિ આવશે). તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું. વરૂપ'- કેમ કે વસ્તુનું સ્વરૂપઅનુસારીપણું હોવા છતાં પણ તેના=વસ્તુના, વ્યપદેશવિશેષનું પુરુષની વિવક્ષાને આધીનપણું છે.
ભાવાર્થ - વસ્તુ પતાના સ્વરૂપને અનુસરે છે, પણ નહીં કે પુરુષની વિવલાને અનુસરે છે. તો પણ તે વસ્તુનો વ્યપદેશવિશેષ પુરુષ પોતાની વિવલાનુસાર કરી શકે છે. અર્થાત્ વસ્તુ નહીં હોવા છતાં વસ્તુનું ફળ ત્યાં હોવાને કારણે વસ્તુ ત્યાં છે, એવા પ્રકારનો વ્યપદેશવિશેષ પુરુષ પોતાની વિવક્ષાને અનુસાર કરી શકે છે.
ઉત્થાન - અહીં શંકા થાય કે વસ્તુનું તેવું સ્વરૂપ નહીં હોવા છતાં પુરુષ વિવાને કારણે તેવો વ્યપદેશવિશેષ કરે છે, તેથી એ પ્રાપ્ત થાય કે, પ્રામાણિક વ્યપદેશ હોય તો તેનું સ્વરૂપ કથંચિત્ તેવું હોવું જોઇએ. માટે વસ્તુ પણ કથંચિત પુરુષની વિવક્ષાને આધીન માનવી પડશે. માટે વસ્તુની પુરુષવિવક્ષાનુસારિતાની આપત્તિ છે જ. તેથી બીજો હેતુ કહે છે
ટીકાર્ય -
વિ' - કથંચિત્ તદ્અનુસારિતામાં પણ પુરુષવિવક્ષાનુસારિતામાં પણ, સ્યાદ્વાદીને અદોષ છે.
ભાવાર્થ- સ્યાદ્વાદી માને છે કે, વસ્તુ જે પ્રમાણે સ્વરૂપથી દેખાય છે તેવી કથંચિત્ છે; તેમ પ્રામાણિક પુરુષોના - વ્યપદેશનો વિષય વસ્તુ બને છે તેથી તેવી પણ કથંચિત છે. તેથી સિદ્ધમાં સ્વરૂપથી ચારિત્ર નહીં હોવા છતાં પ્રામાણિક પુરુષો ચારિત્રનો વ્યપદેશ કરે છે, તેથી ચારિત્રરૂપ વસ્તુ પુરુષવિવક્ષાનુસારી પણ કથંચિત્ છે; તેથી સ્યાદ્વાદીને કોઈ દોષ નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે, સ્યાદ્વાદની દષ્ટિએ વસ્તુ કથંચિત્ સ્વરૂપ અનુસારી છે અને કથંચિત્ પુરુષવિવક્ષાનુસારી છે. - અહીં વિશેષ એ છે કે, આ રીતે વસ્તુની પુરુષવિવક્ષાનુસારિતાની આપત્તિ છે, એમ સંપ્રદાયપક્ષીએ સિદ્ધાંતકારને કહેલ. અને તેનાથી એ કહેવું છે કે, સિદ્ધાંતકારના મતે સિદ્ધમાં સ્વરૂપથી ચારિત્ર નથી પરંતુ પુરુષે ચારિત્રના ફળની અપેક્ષાએ ચારિત્રની વિરક્ષા કરેલ છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, વસ્તુ પોતાના સ્વરૂપની