SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ .: 3 . G ST , , , , , , , , , , , ગાથા : ૧૫૩ . . . અધ્યાત્મ પરીક્ષા... . . .૭૫૫ અવતરણિકા - નન્ધર્વ સિદ્ધાનાં વસ્તુતઃ સંધ્યાત્રિામાવે નિશ્ચયનયે જ્ઞાને જ્ઞાનવનવારિત્રાभेदवृत्तितदुपचारान्यतरप्रतिसन्धानं न स्यादेकत्रैकदा विद्यमानानामेव धर्माणां कालादिभिरभेदवृत्त्युपचारान्यतराश्रयणेनैकधर्मप्रत्यायनमुखेन तावतां प्रत्यायनसंभवादित्याशङ्क्याह અવતરણિયાર્થ:- આ રીતે=પૂર્વની ગાથાઓમાં સિદ્ધાંતકારે પૂર્વપક્ષીની શંકાનો પરિહાર કર્યો એ રીતે, સિદ્ધોને વાસ્તવિક રીતે સચ્ચારિત્રનો અભાવ હોતે છત=સમ્યફ ચારિત્રનો અભાવ હોતે છતે, નિશ્ચયનય વડે જ્ઞાનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની અભેદવૃત્તિ કે અભેદઉપચાર અન્યતરનું પ્રતિસંધાન નહીં થાય; કેમ કે એક ઠેકાણે એક કાળમાં વિદ્યમાન એવા ધર્મોની કાલાદિ દ્વારા અભેદવૃત્તિ કે અભેદઉપચાર અન્યતર આશ્રયણ દ્વારા એક ધર્મના પ્રત્યાયનમુખથી તેટલા ધર્મોના પ્રત્યાયનનો સંભવ છે. આ પ્રકારની આશંકા કરીને સંપ્રદાયપક્ષી કહે છે ભાવાર્થ-પૂર્વની ગાથાઓમાં સિદ્ધાંતકારે સિદ્ધમાં ચારિત્ર માનનારની શંકાનો પરિહાર કર્યો. આનાથી સિદ્ધમાં સચ્ચારિત્ર નથી એ સિદ્ધ થયું, અને તેમ સિદ્ધ થવાથી નિશ્ચયનયને અભિમત વક્ષ્યમાણ માન્યતા સંગત થશે નહીં. નિશ્ચયનય માને છે કે ગુણ-ગુણીનો અભેદ છે, તેથી ગુણી એવા આત્માની સાથે આત્માના જ્ઞાનગુણનો અભેદ છે; તેથી આત્માની સાથે અભેદ એવા જ્ઞાનગુણમાં દ્રવ્યાસ્તિકનયને પ્રધાન કરીને જ્ઞાન, દર્શન, ચારિત્રની અભેદવૃત્તિનું પ્રતિસંધાન કરે છે; અને પર્યાયાસ્તિકનયને પ્રધાન કરીને જ્ઞાનગુણમાં જ્ઞાન, દર્શન, ચારિત્રના અભેદ ઉપચારનું પ્રતિસંધાન કરે છે. તેથી નિશ્ચયનય કહે છે કે મોહના ત્યાગથી જે આત્માનું વેદના છે તે જ જ્ઞાન છે, તે જ દર્શન છે અને તે જ ચારિત્ર છે અર્થાત વ્યવહારનયથી જ્ઞાન, દર્શન, ચારિત્ર પૃથફ હોવા છતાં નિશ્ચયનયથી મોહના ત્યાગથી થતા આત્માના વેદનરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર એક છે. પરંતુ જો સિદ્ધમાં ચારિત્ર ન હોય તો નિશ્ચયનય જ્ઞાનમાં ચારિત્રની અભેદવૃત્તિ કે અભેદઉપચારનું પ્રતિસંધાન કરી શકે નહીં. કેમ કે અભેદવૃત્તિ કે અભેદ ઉપચારના પ્રતિસંધાનનો નિયમ એ છે કે, એક વસ્તુમાં એક કાળમાં વિદ્યમાન એવા ધર્મોની કાલાદિ દ્વારા અભેદવૃત્તિ કરવામાં આવે કે અભેદ ઉપચાર કરવામાં આવે ત્યારે, કોઈ એક ધર્મના બળથી તે વસ્તુમાં રહેલા સર્વ ધર્મનો બોધ થાય છે; પરંતુ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિથી આત્મામાં ચારિત્ર ગુણ નહીં હોવાના કારણે સંસારવર્તી જીવોમાં ચારિત્રવિદ્યમાન હોવા છતાં વિદ્યમાન નથી; કેમ કે શુદ્ધ નિશ્ચયનય આત્માના તે જ ભાવોને જુએ છે કે જે સિદ્ધાવસ્થામાં છે, અને સિદ્ધાવસ્થામાં ચારિત્ર ન હોય તો વર્તમાનમાં સંસારી જીવમાં ચારિત્ર હોવા છતાં શુદ્ધ નિશ્ચયનયથી ચારિત્ર નથી. માટે જ્ઞાનમાં ચારિત્રનો અભેદ નિશ્ચયનયથી કરી શકાય નહીં, અને શાસ્ત્રમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનો અભેદ પ્રસિદ્ધ છે, માટે સિદ્ધમાં ચારિત્ર માનવું જોઈએ એવો સંપ્રદાયપક્ષીનો આશય છે.ll૧૫રા ગાથા - ण य निच्छयस्य नाणे अभेयवित्ति कहं चरणविरहे । संतं चिय पडिवज्जइ फलेण जं सो असंतंपि ॥१५३॥ __ (न च निश्चयस्य ज्ञानेऽभेदवृत्तिः कथं चरणविरहे । सदेव प्रतिपद्यते फलेन यत्सोऽसदपि ॥१५३) ગાથાર્થ - ચારિત્રના વિરહમાં નિશ્ચયનયની જ્ઞાનમાં અભેદવૃત્તિ કેવી રીતે છે? એમ ન કહેવું. જે કારણથી નિશ્ચયનય અસતુ પણ ચારિત્રને ફળથી સત સ્વીકારે છે. ll૧૫૩ ૨-૧૩
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy