SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮9. . . . . . . . . . . . ૬૮૦. . અધ્યાત્મમત પરીક્ષા . . . . . .ગાથા : ૧૪૩ વ્યપદેશ થતો નથી. (કિન્તુ પ્રધાન એવા મોહોપશમને આશ્રયીને “ઔપશમિક ચારિત્ર' જ કહેવાય છે.). અન્યથા = મોહોપશમદશામાં પણ લાયોપથમિક વીર્યને ગ્રહણ કરીને ચારિત્રનો ક્ષાયોપથમિકપણે વ્યપદેશ માનો તો, ઇન્દ્રિય પર્યાતિઉદયજન્યપણાવડે ઇન્દ્રિય પણ ઔદયિકભાવરૂપે વ્યપદેશ પામે, પરંતુ લાયોપથમિકરૂપે નહિ; અને એવું છે નહિ. કેમ કે ઈન્દ્રિયો લાયોપથમિક છે એ પ્રમાણે શાસ્ત્રવચન છે. ભાવાર્થ:- મુખ્યને આશ્રયીને જ વ્યપદેશ થતો હોવાથી ઉપશાંતમોહવાળા છદ્મસ્થવીતરાગ જીવોમાં વીર્યનો તો ક્ષયોપશમભાવ હોવા છતાં તેને આશ્રયીને “ક્ષાયોપથમિક ચારિત્ર'નો વ્યપદેશ થતો નથી, કિન્તુ પ્રધાન એવા મોહોપશમને આશ્રયીને ઔપશમિક ચારિત્ર' જ કહેવાય છે. નહીંતર તો ઇન્દ્રિયો ઇન્દ્રિય પર્યાપ્તિનામકર્મોદયજન્ય હોવાથી ઔદયિકભાવરૂપે વ્યાદિષ્ટ થાત, ક્ષાયોપશમિકરૂપે નહિ. પણ એવું નથી, કારણ કે “ઇન્દ્રિયો લાયોપથમિકભાવરૂપે છે” એવું શાસ્ત્રવચન છે. અહીં ‘પ્રધાનના આશ્રયણથી વ્યપદેશની પ્રવૃત્તિ છે એમ કહ્યું તેનો ભાવ એ છે કે, વીર્યસંસારની ભોગાદિની પ્રવૃત્તિમાં પણ પ્રવર્તે છે એ ક્ષયોપશમભાવનું છે, અને ચારિત્રમાં પણ પ્રવર્તે છે એ પણ ક્ષયોપશમભાવનું છે. આમ છતાં, ભોગાદિમાં જ્યારે વીર્ય પ્રવર્તે છે ત્યારે ચારિત્રમોહનીયનો ઉદય હોય છે, અને તે જ વીર્ય જ્યારે સંયમમાં પ્રવર્તે છે ત્યારે ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ કે ઉપશમભાવ છે. તેથી ચારિત્રવિષયક પ્રવર્તતા વીર્યમાં પ્રધાનતા ચારિત્રમોહનીયના ઉપશમ કે ક્ષયોપશમની છે, અને સંસારવિષયક પ્રવર્તતા વીર્યમાં પ્રધાનતા મોહનીયકર્મના ઉદયની છે. તેથી સંસારની ક્રિયાને ઔદયિકભાવની કહેવાય છે, પરંતુ વીર્યના ક્ષયોપશમને આશ્રયીને લાયોપથમિકભાવની કહેવાતી નથી. તે જ રીતે ચારિત્રમાં પ્રવર્તતા વીર્યને મોહનીયના ઉપશમ કે યોપશમને આશ્રયીને ઔપથમિક કે ક્ષાયોપથમિકપણાનો વ્યપદેશ થાય છે. અવતરણિકા ચાલુ અર્થવનન્તાનુવાવીનાંતતિલકવંસ્થા ,નિકષાયરિપાકરૂપતાભાવ तस्य कषायाणां प्रतिपन्थित्वसंभवादिति चेत्? न, न हि कषायचारित्रयोश्छायाऽऽतपयोरिव परस्परपरिहाररूपतया विरोधो नाम, अपि तु जलज्वलनयोरिव सहानवस्थास्नुस्वभावतया। स च परस्पराभावरूपतां विनैव संभवी, युक्तं चैतत् तीव्रतरकषायाणामेवैवं तत्प्रतिपन्थित्वात्, अल्पीयसोऽसामर्थ्यात्, न हि जलकणिकामात्रेण ज्वालाजालजटिलो वह्निरुपशाम्यति, अन्यथा तु संज्वलनकषायाणामपि चारित्रप्रतिबन्धकत्वप्रसङ्गान हिकषायपरिणामे जाग्रति निष्कषायपरिणामरूपंचारित्रमवतिष्ठते। कषायकणवान्तस्वान्तशुद्धयः शुद्धोपयोगरूपं परमचारित्रं परित्यज्य शुभोपयोगरूपं गौणचारित्रमेवाददत इति चेत्? न, तथापि प्रशस्तालम्बनं विनापि कर्मपारवश्येन कषायवशीकृतानामपि मूलगुणेषु यतनया प्रवर्त्तमानानां चारित्रभङ्गप्रसङ्गः। 'इष्टमेवेदमिति चेत्? सेयं दुराशयस्य दिगम्बरस्यैव प्रक्रिया न त्वस्माकं, तीर्थप्रवृत्तेरुच्छेदप्रसङ्गादित्यभिप्रेत्याहઅવતરણિકાર્ય ચાલુ - ‘અથ'થી સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે આ રીતે = તમે ચારિત્રને વીર્યવિશેષરૂપ = યોગપરિણામરૂપ કહ્યું, એ રીતે, અનંતાનુબંધ્યાદિ કષાયોનું ત્યાં = ચારિત્રમાં, પ્રતિબંધકપણું નહિ થાય. કેમ કે તેની =ચારિત્રની, નિષ્કષાયપરિણામરૂપતા હોતે છતે જ કષાયોનું પ્રતિપંથીપણું સંભવે છે.
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy