________________
૫૦
કર્મવિપાક-વિવેચનસહિત अणुगामि-वड्ढमाणय-वडिवाई-यरविहा छहा ओही। रिउमइ-विउलमई मणनाण' केवलमिगविहाण ॥८॥
आनुगामि-वर्द्धमानक-प्रतिपातीतरविधात् षोढाऽवधिः । ऋजुमति-विपुलमती मनोज्ञान केवलमेकविधानम् ।।
અથ–આનુગામી, વદ્ધમાન, પ્રતિપાતી, અને તેનાથી ઈતર-ઉલટા પ્રકારના અનાનુગામી, હીયમાન, અપ્રતિપાતિરૂ૫ ભેદવડે અવધિજ્ઞાનના છ પ્રકાર છે. મન:પર્યવજ્ઞાન બાજુમતિ અને વિપુલમતિ–એ બે ભેદે છે, અને કેવલજ્ઞાન એક પ્રકારે છે.
વિવેચન-સામાન્ય રીતે અવધિજ્ઞાનને ભવપ્રત્યય અને પશમપ્રત્યય-એ બે ભેદ છે. જેની ઉત્પત્તિમાં ભવ-દેવાદિગતિ કારણભૂત છે તે ભવપ્રત્યય. તે અવધિજ્ઞાન નારક અને દેવેને હેય છે. જેની ઉત્પત્તિમાં અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષયે પશમ કારણ છે તે પશમ પ્રત્યય, તેને “ગુણપ્રત્યય” પણ કહે છે, તે મનુષ્ય અને તિય"ને હેય છે. યદ્યપિ દેવ તથા નારકીને પશમ સિવાય અવધિજ્ઞાન થતું નથી તેથી તેને પણ પશમપ્રત્યય અવધિ કહેવું જોઈએ; તે પણ તેનું અસાધારણ કારણ ભાવ હોવાથી તેને ભવપ્રત્યય કહ્યું છે. ક્ષપશમ અવધિજ્ઞાનનું સાધારણ કારણ છે, કેમકે તે બન્ને પ્રકારના અવધિજ્ઞાનમાં નિયત છે. વાસ્તવિક રીતે વિચારતાં દેવ તથા નારકને અવધિજ્ઞાનનું અનન્તર કારણ ક્ષપશમ છે, અને ભવ પરંપર કારણ છે, તે પણ દેવાદિભવમાં ત્રતાદિ