________________
કર્મવિપાક-વિવેચનસહિત સમ્યફ ભાવથુતને આશ્રયીને કરેલી છે. ગમિક અને અગમિકએ બે -ભેદની ગણના શાસ્ત્રીય દ્રવ્યશ્રુતના સમાન પાઠ અને અસમાન પાઠની અપેક્ષાએ છે. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય-એ બે ભેદ શાસ્ત્રીય દ્રવ્યકૃતના કર્તાની અપેક્ષાએ છે. એટલે ગણધરકૃત શાસ્ત્રીય દ્રવ્યશ્રુત તે અંગપ્રવિષ્ટ અને
વિરકૃત તે અંગબાહ્ય. આ શ્રુતજ્ઞાનના ચૌદ ભેદોમાં બબ્બે ભેદોને પરસ્પર સંબધ છે. સાત રીતે બબ્બે ભેદ થતા હોવાથી ચૌદ ભેદની ગણના કરી છે. [ શ્રુતજ્ઞાનના પર્યાયાદિ વીશ જેની ગણના શી રીતે ? તેની સમજ, પર્યાયાદિ વીશ ભેદનું વર્ણન, દ્રવ્યાદિ વિષય. ]
હવે શ્રતજ્ઞાનના વિશ ભેદ કહે છેपज्जय-अक्खर-पय-सघाया पडिवत्ति तह य अणुओगो। पाहुडपाहुड-पाहुड-वत्थु-पुव्वा य ससमासा ॥७॥ पर्याया-क्षर-पद-सघाताः प्रतिपत्तिस्तथा चानुयोगः प्राभतप्राभूत-प्राभृत-वस्तु-पूवॉणि ससमासानि ॥
અથ–પયાર્ય, અક્ષર, પદ, સંઘાતપ્રતિપ્રત્તિ, અનુગ, પ્રાભૃતપ્રાકૃત, પ્રાભૃત, વસ્તુ, પૂર્વ–આ સર્વ શ્રુતજ્ઞાનના ભેદ સમાસ સહિત જાણવા.
વિવેચનઃ-શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ કહ્યા, હવે શ્રતજ્ઞાનના વશ ભેદનું વર્ણન કરે છે. અહીં જે શ્રુતજ્ઞાનના વિશ ભેદે બતાવ્યા છે તે સર્વ વિશિષ્ટશ્રુતજ્ઞાનના છે, અને તે ઉત્તરોત્તર શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમની વિશેષતાથી પ્રકટ થાય છે. વળી તે વિશિષ્ટશ્રુતના સીધી રીતે વીશ ભેદ થઈ શકતા નથી, પણ જેમ જેમ યોપશમ