________________
જ કમવિપાક-વિવેચનસહિત
આ અંગપ્રવિષ્ટઃ-ગણધરકૃત આચારાંગાદિ સૂત્રો તે અંગપ્રવિષ્ટ.
અંગબાહ્ય-રિકૃત આવશ્યકાદિ તે અંગબાહ્ય.
એ રીતે શ્રુતજ્ઞાનના ચૌદ ભેદોનું વર્ણન કર્યું. યદ્યપિ અક્ષરદ્ભુત અને અક્ષરદ્ભુત, સમ્યફથુત અને મિથ્યાશ્રુત વગેરે બબ્બે ભેદોમાં બીજા ભેદોને સમાવેશ થઈ શકે છે, તે પણ ભિન્ન ભિન્ન દષ્ટિથી શ્રુતજ્ઞાનના ભેદોને ખ્યાલ આપવા ચૌદ ભેદની ગણના કરી છે. તેમાં અક્ષરધૃત અને અક્ષરશ્રુત-એ બે ભેદોથી ઉચ્ચાર અને લીપિરૂપ દ્રવ્યાક્ષરને અને લબ્ધિ અને ઉપગરૂપ ભાવાક્ષરને ખ્યાલ આપ્યું છે. સંજ્ઞિશ્રુત અને અસંજ્ઞિકૃત-એ બે ભેદથી સ્પષ્ટ અને અસ્પષ્ટ ભાવકૃત જણાવ્યું છે. સંજ્ઞીને સ્પષ્ટ ભાવશ્રત હોય છે, અને અસ– જ્ઞીને અસ્પષ્ટ ભાવથુત હોય છે. સમ્યકશ્રુત અને મિથ્યાશ્રુતએ બે ભેદદ્વારા તત્વદષ્ટિથી યથાર્થ અને અયથાર્થ એવા બન્ને પ્રકારના ભાવકૃતને ખ્યાલ આવે છે. સાદિ સપર્ય. વસિત અને અનાદિ અપર્યવસિત–એ ચાર ભેદની ગણના
૧. અંગપ્રવિષ્ટશ્રુત બાર અંગમાં વહેંચાયેલું છે, તેને દ્વાદશાંગી કહે છે. ૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. સ્થાનાંગ, ૪. સમાવાયાંગ, ૫. ભગવતી સૂત્ર. ૬. જ્ઞાતાધર્મકથા, ૭ ઉપાસકદશા, ૮, અંતર્દશા, ૯. અનુત્તરપપાતિ દશા, ૧૦ પ્રશ્નવ્યાકરણ, ૧૧. વિપાક, ૧૧. દષ્ટિવાદ. તેમાં હાલ અગીઆર અંગ મળે છે અને બારમું અંગ બુચ્છિન્ન થયું છે.
૨. ગણધરના પછી થયેલા અતિશય બુદ્ધિમાન આચાર્યોએ રચેલ અંગ બાહ્યશ્રત કહેવાય છે. તે અનેક પ્રકારનું છે-આવશ્યક, દઢાલિક, ઉત્તરા ધ્યયન, દશાશ્રુત, કલ્પ, વ્યવહાર, નિશીથ, ઋષિભાષિત વગેરે. જુઓ તસ્વાર્થ. અ. ૧ રુ. ૨.