________________
૪૦
કવિપાક-વિવેચનસહિત ૩. સંશ્રિત –સંજ્ઞી–મનસંજ્ઞાવાળા પ્રાણીઓનું જે શ્રુતજ્ઞાન તે સંજ્ઞશ્રત. સંજ્ઞા ત્રણ પ્રકારની છે–દીર્ઘકાલિકી, હેતુવાદોપદેશિકી, અને દષ્ટિવાદોપદેશિકી. (૧) દીર્ધકાલિકીદીર્ઘકાલ–ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળ સંબધી બધ તે. (૨) હેતુવાદોપદેશિક–પ્રાયઃ વર્તમાન કાળ સંબંધી ઈટ વસ્તુમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વસ્તુથી નિવૃત્તિ કરવાને બેધ છે. આ સંજ્ઞા અસંસી જીવોને હેય છે. (૩) દષ્ટિવા‘પદેશિકી–સમ્યગદર્શન રૂપ બેધ તે દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે. પરંતુ શાસ્ત્રમાં દીર્ઘકાલિકી સંજ્ઞાની અપેક્ષાએ સંજ્ઞી કહ્યા છે. જેમ માત્ર રૂપવાળો રૂપાળ ગણાતું નથી, પણ સારા રૂપવાળે રૂપાળો ગણાય છે, તેમ સંજ્ઞાવાળે સંજ્ઞી કહેવાતું નથી, પણ પ્રશસ્ત સંજ્ઞાવાળે સંજ્ઞી કહેવાય છે. હેતુવાદ્યપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ દીર્ઘકાલિકી સંજ્ઞા વિશેષ બેધ રૂપ હેવાથી પ્રશસ્ત છે. આ સંજ્ઞા સઘળા મનવાળા પ્રાણીઓને હોય છે. તેમાં પણ વધારે પ્રશસ્ત ઉત્તમ સંજ્ઞા તે દૃષ્ટિવાદોપદેશિકી છે. તે અપેક્ષાએ સમ્યગદર્શની જીવે જ સંસી કહી શકાય અને મિયાદષ્ટિ છે અસક્સી ગણાય.
અસજ્ઞિકૃતઃ- દીર્ઘકાલિકી સંજ્ઞા રહિત મન વિનાના પ્રાણીઓનું શ્રુતજ્ઞાન તે અસંજ્ઞિકૃત. અસંજ્ઞીને વિશિષ્ટ મન હોતું નથી, પણ તેને સૂક્ષ્મ મન માનેલું છે, છતાં તે મનવિનાના કહેવાય છે, કેમકે તેને વિશિષ્ટ મનનો અભાવ છે.
१. “ यथा वाऽविशुद्धचक्षुषो मन्दमन्दप्रकाशे रूपोपलब्धिः, एवमसंज्ञिनः पञ्चेन्द्रियस मूर्छनजस्यात्यल्प-: