SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. કમવિપાક વિવેચનસહિત શિષ્ય:- ભગવદ્ ! અક્ષરોથી જે અનિલાપ્ય ભાવને બંધ થાય તે અક્ષર શ્રત કહ્યું તે શું અભિલાપ્ય સિવાય બીજા ભાવે છે? ગુ– બાપુ! સાંભળ. શાસ્ત્રમાં બે પ્રકારના ભાવે વર્ણવ્યા છે. એક શબ્દથી કહી શકાય એવા ભાવે છે, તેને અભિલાપ્ય ભાવે કહે છે. બીજા વચનથી નહિ કહી શકાય એવા ભાવે છે તેને અનભિલાખ ભાવે કહે છે અભિલાપ્ય ભાવે અનંત છે, અને તેથી અનન્તગુણ અનભિલાખ ભાવે છે.અભિલાપ્ય ભાવોને અનંતમે ભાગ શ્રતમાં પ્રતિપાદિત થાય છે, કારણકે સૂત્રમાં પૂર્વધર મુનિએ શબ્દની અપેક્ષાએ સમાન ચૌદ પૂર્વના જાણનાર કહેલા છે, છતાં તેઓમાં પરસ્પર જ્ઞાનની ઘણી વિશેષતા છે.એક ચૌદપૂર્વધર મુનિનું જ્ઞાન બીજા મુનિના કરતાં અનન્તગુણ હીન હોય છે અને તેથી બીજા મુનિનું જ્ઞાન અનન્ત ગુણ અધિક હોય છે. આ રીતે તેઓના જ્ઞાનમાં જે વિશેષતા રહેલી છે તે શ્રુતગમ્ય અભિસાપ્ય ભાવની અપેક્ષા છે, કેમકે પૂર્વમાં કહેલા અભિલાય ભાવને સૌ પૂર્વધર સરખા જાણે છે, પરંતુ શ્રુતગમ્ય અભિલાપ્ય વત્તા ઓછા જાણે, તેની અપેક્ષાએ જ્ઞાનનુ વત્તા ઓછાપણું હોય છે. ૨. અક્ષરકત- છીંક, ખાંસી, થુંકવું વગેરે અને ક્ષરથી–અસ્પષ્ટ વનિથી કે હાથ આદિની ચેષ્ટાથી સામા મનુષ્યના અભિપ્રાયને જે બંધ થાય તે અક્ષરકૃત, તેમાં છીંક, ખાંસી વગેરે ધ્વનિરૂપ હેવાથી તેનું શ્રવણ થાય છે માટે તે અક્ષર દ્રવ્ય કૃત છે. હાથ આદિની ચેષ્ટા વગેરેનું શ્રવણ થતું નથી માટે તે દ્રવ્યશ્રત રૂપ નથી.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy