________________
૩ર કમવિપાક-વિવેચનસહિત
એક ટીપું નાખે, તે તરત સુકાઈ જાય છે, વળી પુનઃ એક બિંદુ નાંખે તે પણ સુકાઈ જાય છે, જેમ જેમ ઉત્તરોત્તર પાણીનાં બિંદુઓ નાંખતે જાય તેમ તેમ પણ સુકાતાં જાય છે, પણ છેવટે તે પાત્રમાં જલનાં બિંદુઓ સુકાયા શિવાય ટકી રહે છે. તેવી રીતે ઇન્દ્રિયની સાથે વિષયના પુદ્ગલેને સંબંધ થાય છે, પરંતુ તરત તેની અસર થતી નથી. પણ અનુક્રમે સંબંધ વધતાં વધતાં વિષયના પુદ્ગલે વડે ઈન્દ્રિય વ્યાપ્ત થાય છે પછીથી “આ કંઈક છે એવું અવ્યક્તજ્ઞાન ઉત્પન્ન થાય છે તે નૈઋયિક અર્થાવગ્રહ. તેને કાલ માત્ર એક સમયને છે. તે પાંચ ઈન્દ્રિય અને મનવડે થત . વાથી તેના છ પ્રકાર થાય છે. તેમાં વ્યંજનાવગ્રહ થયા શિવાય ચક્ષુ અને મનને અર્થાવગ્રહ તેવા પ્રકારના પશમથી પ્રથમ સમયે થાય છે, અને બાકીની ઇન્દ્રિયોથી જે અર્થાવગ્રહ થાય છે તે વ્યંજનાવગ્રહ પૂર્વક થાય છે. - ઈહા – વિશેષ ધર્મની સંભાવના તે ઈહા. અવગ્રહવડે સામાન્ય અર્થને બંધ થાય છે, તેમાં શબ્દાદિ વિશેષ ધર્મની જે સંભાવના-નિશ્ચય તરફ ઢળતે બોધ તેને ઈહા= વિચારણા કહે છે. જેમ “આ શબ્દ હો જોઈએ, આ પુરુષ હો જોઈએ એમ વિદ્યમાન ધર્મના અસ્તિત્વની સંભાવના થઇ શકે છે, તેમ અવિદ્યમાન ધર્મના નિધની પણ સંભાવના થઈ શકે છે. જેમ, શબ્દથી ભિન્ન રૂપાદિને સંભવ નથી. પુરુષથી અન્ય કોઈનો સંભવ નથી. સંશયથી ઈલ ભિન્ન છે, “આ સ્થાણુ હોય અથવા પુરુષ હોય એવું જ્ઞાન થશય છે. કેમકે ઈહા નિશ્ચયને સન્મુખ છે, અને સંશયમાં બંને બાજુ સરખી હોય છે.