SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કવિપાક-વિવેચનસહિત ૩૫ એ રીતે વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કહ્યું, હવે અર્થાવગ્રહનું સ્વરૂપ વર્ણવે છે. - इअ अट्ठवीसभेअ, चउदसहा वीसहा व सुअं!।५॥ અથવા -ડપાર-ધારણા જળમાનસૈઃ પોઢા | इत्यष्टाविंशतिभेदं चतुर्दशधा विंशतिधा वा श्रुतम् ।। અર્થઅર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા તે પ્રત્યેક પાંચ ઈન્દ્રિયો અને મન વડે છે પ્રકારે છે. એ પ્રમાણે મતિજ્ઞાન અઠયાવીશ પ્રકારનું કહ્યું છે. શ્રુતજ્ઞાનના ચૌદ અથવા વશ ભેદ છે. ' અર્થાવગ્રહ - સ્વરૂપ, નામ, જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્યની કલ્પનાથી રહિત સામાન્ય અર્થને બોધ તે અર્થાવગ્રહ જ્યારે ઇન્દ્રિય અને શબ્દાદિ વિષયોને સંબંધ થાય છે, અને તે સંબંધ અસંખ્ય સમય પર્યત ચાલુ રહે છે ત્યારે વ્યંજનાવગ્રહ થાય છે, ત્યાર પછી “આ કંઈક છે એવા પ્રકારને નામ-જાત્યાદિની કલ્પનાથી રહિત જે બંધ થાય તેને અર્થાવગ્રહ કહે છે. જેમ કોઈ સૂઈ ગયેલા મા સને સાદ પાડી જગાડે, તે વખતે શબ્દના પુદ્ગલેને સુતેલા મનુષ્યની શ્રોત્રેન્દ્રિયની સાથે સંબંધ થાય છે, તે પણ તે તરત જાગતું નથી, પણ ફરીથી તેને જગાડવા સારૂ સાદ કરવા પડે છે. એ રીતે શ્રોત્રેન્દ્રિય સાથે શબ્દને સંબંધ વધતું જાય છે. છેવટે “આ કંઈક છે એવું અવ્યક્ત જ્ઞાન થાય છે, તેવા સામાન્ય બેધને અર્થાવગ્રહ કહે છે. જેમ કે માણસ માટીનું નવું પાત્ર ગ્રહણ કરી તેને ઉપર પાણીનું
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy