SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ કર્મવિપાક-વિવેચનસહિત સંબન્ધ વડે તદ્દન અવ્યક્ત બંધ થાય તે વ્યંજનાવગ્રહ. અહીં પ્રથમ ઈદ્રિય સાથે શબ્દાદિ વિષયના પુદ્ગલેને સંબંધ થાય છે, અને તે સંબન્ધ અસંખ્ય સમય પર્યત ચાલુ રહે છે ત્યારે જ્ઞાન ઉત્પન્ન થાય છે. પ્રથમ સમયે ઇન્દ્રિય અને વિષયને સંબંધ થાય ત્યારે તરત જ્ઞાન થતું નથી, પણ ઇન્દ્રિયને કાંઈક અસર થાય છે. બીજે સમયે વિશેષ અસર થાય છે. એ રીતે પછી પછીના સમયે ઉત્તરોત્તર અસર વધતી જાય છે. ત્યાર પછી “આ કાંઈક છે એવું અવ્યક્ત જ્ઞાન થાય છે. તે જ્ઞાન - થયા પૂર્વે ઇન્દ્રિય અને વિષયના સંબંધથી જે અસર થવા રૂપ મતિજ્ઞાનાવરણ કર્મને પશમ કે તદ્દન અવ્યક્ત જ્ઞાન થાય છે તેને વ્યંજનાવગ્રેડ કહે છે. જેમ કેઈ માણસ માટીના નવા કેડીયા ઉપર પાણીનું એક ટીપું નાંખે, તેટલા માત્રથી તે કેડીયું ભીંજાતું નથી, પણ તેને સૂક્ષ્મ અસર થાય છે, તેમ બીજું પાણીનું બિન્દુ નાંખે તેથી પ્રથમથી કાંઈક વિશેષ અસર થાય છે, તેવી રીતે ઉત્તરોત્તર પાણીનાં બિન્દુઓ નાંખતે જાય, ત્યારે છેવટે તે કેડીયું ભીનું થાય છે, પછીથી તેમાં પાણી ટકી શકે છે, તેમ ઇન્દ્રિયની સાથે વિષયના પુદગલેનો સંબંધ થાય ત્યારે તરતજ ઈન્દ્રિયોને જ્ઞાન થતું નથી, પણ તેથી થેડી અસર થાય છે. જેમ જેમ સંબંધ ચાલુ રહે તેમ તેમ તે અસર વધતી જાય છે, અને છેવટે “આ કંઈક છે” એવું જ્ઞાન થાય છે, તે જ્ઞાનની પહેલાને વ્યંજનાવગ્રહ કહેવાય છે. શિષ્ય – ભગવદ્ ! વ્યંજનાવગ્રહને ક્ષપશમરૂપ કે
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy