________________
કર્મવિપાક-વિવેચનસહિત ૨૯ અવ્યક્ત જ્ઞાનસ્વરૂપ કહ્યો, પરંતુ જે તે ક્ષયે પશમરૂપ હોય તે મતિજ્ઞાનના ભેદમાં કેમ આવી શકે ? અને જ્ઞાનસ્વરૂપ હોય તે માલુમ કેમ ન પડે ?
ગુરુ - બાપુ! તારી શંકા એગ્ય છે. યદ્યપિ વ્યંજનાવગ્રહને પશમરૂપ કહ્યો છે, અને ક્ષપશમ જ્ઞાનસ્વરૂપ નથી, તો પણ તે જ્ઞાનનું કારણ છે માટે કારણમાં કાર્યને ઉપચાર કરી મતિજ્ઞાનના ભેદમાં તેની ગણના કરી છે. અથવા વ્યંજનાવગ્રહને અવ્યક્ત જ્ઞાનરૂપ પણ કહેલ છે, પરંતુ તે જ્ઞાન અગ્નિના એક કણની પેઠે અતિ સૂક્ષમ હોવાથી અને ત્યાં મનને વ્યાપાર નહિ હોવાથી માલુમ પડી શકતું નથી.
તે વ્યંજનાવગ્રહ મન અને ચક્ષુ સિવાય ચાર ઈન્દ્રિચોથી થાય છે, તેથી તેના ચાર પ્રકાર છેઃ – ૧ સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ; ૨. રસનેન્દ્રિયવ્યંજનાવગ્રહ; ૩. ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ; ૪. શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ, મન અને ચક્ષુને વ્યંજનાવગ્રહ થતું નથી, કારણકે તે બન્ને ઈન્દ્રિયે અપ્રાપ્ત એવા યોગ્ય દેશમાં રહેલા વિષયને ગ્રહણ કરે છે. બાકીની ચાર ઈનિ પ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે. १ पुट्ट सुणेइ सह, रूवं पुण पासइ अपुट्ठ तु । गध रस च फासं, बद्धपुछ वियागरे ॥ (आव०नि० गा.५)
અર્થ:-શ્રોત્રેન્દ્રિય રેતીની પેઠે સ્પર્શ કરેલા શબ્દને સાંભળે છે. કેમકે બીજી ઈન્દ્રિયોની અપેક્ષાથી તેનામાં વિષયગ્રહણ સામર્થ વિશેષ છે. ચક્ર અસ્પષ્ટ-અપ્રાપ્ત પરન્તુ ગ્ય દેશમાં રહેલા રૂપને જુએ છે. બ્રિાણેવિ, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય બદ્ધસ્કૃષ્ટ-અત્યંત સંબદ્ધ થયેલા પોતાના વિષય ગંધ, રસ અને સ્પશને જાણે છે. કેમકે બીજી ઈન્દ્રિયોની અપેક્ષાએ તેનામાં વિષયને શીધ્ર જાણવાનું સામર્થ્ય નથી એમ તાનીઓએ કહ્યું છે