________________
૧૪
ક્રમ’વિપાક–વિવેચનસંહત
પ્રાપ્ત થાય છે માટે તેને સર્વ ખીજા જ્ઞાનાની આદિમાં કહ્યાં છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હાવાથી શ્રુતજ્ઞાનની પહેલાં મતિજ્ઞાન કહ્યું છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની સાથે કાલ, વિપ ય, સ્વામી અને લાભનુ સાધમ્ય” ( સરખાપણું ) હાવાથી તે પછી અવધિજ્ઞાન કહ્યુ છે.
(૧) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ઉત્કૃષ્ટ કાલ છાસડ સાગરોપમ છે, તેમ ધિજ્ઞાનનો ઉત્કૃષ્ટ કાલ તેટલા જ છે, માટે કાલનું સાધન્ય છે.
(૨) મિથ્યાદર્શન માહનીય ક ના ઉદય થવાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિષય ભાવને પામે છે, તેમ અવધિજ્ઞાન પણ વિષય યભાવને પામે છે; તેથી વિપર્યય સાધમ્ય છે, (૩) જેને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે, તેને જ અવધિજ્ઞાન હોય છે માટે સ્વામિસાધમ્ય છે.
(૪) જ્યારે કોઈ મિથ્યાદષ્ટિ દેવાક્રિકને સમ્યગ્દર્શન થાય છે ત્યારે ત્રણે જ્ઞાનને સાથે લાભ થાય છે, માટે લાભસાધ છે.
છદ્મસ્થ, વિષય, ભાવ અને પ્રત્યક્ષનું સાધ હોવાથી અવધિજ્ઞાન પછી મન:પવજ્ઞાન કહ્યું છે.
(૧) જેમ અવધિજ્ઞાન છદ્મસ્થને ઉત્પન્ન થાય છે, તેમ મન:પર્યવજ્ઞાન પણ છદ્મસ્થને થાય છે, માટે છઠૂમસ્ય સાધ છે.
(૨) અવધિજ્ઞાન અને મન:પર્યાંવ જ્ઞાનને વિષય રૂપી દ્રવ્ય હાવાથી બન્નેનું વિષય સાધમ્ય છે.
૧. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી છદ્મસ્થ કહેવાય છે.