________________
૨૨ કર્મવિપાક-વિવેચન સહિત શમિક કહેલા છે. પરંતુ જ્યારે આવરણને સર્વથા ક્ષય થાય ત્યારે કેવળજ્ઞાનની પેઠે ક્ષાયિક એવા મત્યાદિ ચાર જ્ઞાન કેમ ન પ્રકટ થાય ?
ગુરા- બાપુ! તારી શંકાયેગ્ય છે. તેને ઉત્તર કહે છું તે સાંભળ. કેવળજ્ઞાન આત્માનું મૂળ સ્વરૂપ છે, તેને સર્વઘાતી કેવળજ્ઞાનાવરણ કમ સર્વથા આવરે છે, છતાં સ્વભાવથી કેવળજ્ઞાનને અનંતમો ભાગ ઉઘાડે રહે છે, જેમ કાળા પ્રચંડ વાદળાને સમૂહ સૂર્યને સાવ ઢાંકી દે છે છતાં દિવસ અને રાત્રિને ભેદ જણાઈ શકે તેટલે પ્રકાશ બાકી રહે છે. હવે બાકી રહેલા તે કેવળજ્ઞાનના અનંતમાં ભાગને મતિજ્ઞાનાવરણ, શ્રતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મન:પર્યવજ્ઞાનાવરણ આવરે છે. જેમ સૂર્યને બાકી રહેલા પ્રકાશને ઝુંપડી વગેરે રોકે છે. છતાં ઝુંપડીમાં બેઠેલા મનુષ્યને તેમાં રહેલા છિદ્રો દ્વારા વાદળાંથી રોકાયેલે મંદ પ્રકાશ મળે છે તેમ મત્યાદિ જ્ઞાનાવરણના ક્ષપશમ રૂપ છિદ્ર દ્વારા કેવળજ્ઞાનાવરણથી ઢંકાયેલ મન્દ પ્રકાશ પ્રાપ્ત થાય છે, તે ક્ષાપશમિક મત્યાદિ જ્ઞાન કહેવાય છે. હવે તે આવરણોને સર્વથા ક્ષય થાય ત્યારે માત્ર એક કેવળજ્ઞાનરૂપ પ્રકાશ પ્રગટ થાય છે, પરંતુ આવરણના ક્ષયોપશમ દ્વારા જે મંદ પ્રકાશ મળતું હતું તેને તે નાશ થાય છે. જેમ તે પ્રચંડ વાદળાને સમૂહ નાશ પામે અને ઝુંપડી દૂર કરવામાં આવે તે ઝુંપડીમાં બેઠેલા મનુષ્યને તેના છિદ્રો દ્વારા જે મંદ પ્રકાશ મળતું હતું તે હવે નથી મળતું, પરંતુ કેવળ સૂર્ય પ્રકાશ મળે છે. માટે આવ