SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 0 કમવિપાક–વિવેચનસહિત (વિચાર કરવામાં ઉપયેગી એક જાતના સૂક્ષ્મ પરમાણુઓના સ્કંધેને ગ્રહણ કરે છે, કેમકે તેના સિવાય તે સ્પષ્ટ વિચાર કરી શક્તા નથી. જે જે સારે કે નરસો વિચાર કરે છે તેવા તેવા આકારરૂપે તે વર્ગણ પરિણત થાય છે, તે મન કહેવાય છે, મન ૫ર્યવજ્ઞાની તે મનના પરિણામને સાક્ષાત્ જાણે છે, તેથી તેણે અમુક વિચાર કર્યો” એવું અનુમાનથી જાણે છે, જેમ વાચક લેખ વાંચવાથી લેખકના અભિપ્રાયને જાણે છે, તેમ મન:પર્યવાની મનના પરિણામને પ્રત્યક્ષ જાણવાથી ચિન્તનીય ઘટાદિ પદાર્થને આવા પ્રકારના મનને પરિણામ આવા ચિન્તન સિવાય ન થઈ શકે તેવા અનુમાનથી જાણે છે.. કેવલજ્ઞાન - સર્વ દ્રવ્ય-પર્યાયને ત્રણ કાળમાં પ્રત્યક્ષ જાણનાર જે જ્ઞાન તે કેવળજ્ઞાન. દ્રવ્ય એટલે મૂળ પદાર્થ, પર્યાય એટલે તેની વિવિધ અવસ્થાએ. જેમ આત્મા મૂળ દ્રવ્ય, અને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક–એ તેના પર્યાય, પુદ્ગલ દ્રવ્યમાં પરમાણુ મૂળ દ્રવ્ય, અને તે પર માણુઓમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું પરિવર્તન થાય, અથવા પરમાણુઓ મળવાથી કે વિખરવાથી તેના જુદા જુદા સ્ક થાય તે તેના પર્યાય કહેવાય. આવા પર્યાયે એક દ્રવ્યના અનંત થાય છે. સર્વ દ્રવ્ય અને તેના સર્વ પર્યાયને ભૂત, ભવિષ્ય અને વર્તમાન–એ ત્રણ કાળમાં કેવળજ્ઞાની જાણી શકે છે. આમાનાં છેલ્લા ત્રણ જ્ઞાન-અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે, કારણકે તે ઈન્દ્રિય અને મન વગરની અપેક્ષા સિવાય પદાર્થને સાક્ષાત જાણે છે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy