________________
૧૮ . કમવિપાક-વિવેચનસહિત કારણ છે. જેમ, પ્રથમ ઘટ એ શબ્દ સંભળાયે, ત્યાર પછી ઘટશબ્દ ઘટરૂપ અર્થને વાચક છે'-એ પ્રમાણે વાચ્યવાચકભાવ સંબધનું સ્મરણ થયું, (આ બંને પ્રકાર મતિજ્ઞાન રૂપ છે) ત્યાર પછી ઘટ અર્થને જે બંધ થયે તે શ્રતજ્ઞાન કહેવાય છે. તેવી રીતે ચક્ષુથી ઘટતું પ્રત્યક્ષ જ્ઞાન થયું, પછી આ પદાર્થને વાચક ઘટ શબ્દ છે એમ વાયવાચકભાવ સંબંધનું સ્મરણ થયું, (અહીં આ બને જ્ઞાન મતિજ્ઞાનરૂપ છે) પછી આ ઘટ છે–એમ શબ્દ અને અર્થના સંસર્ગપૂર્વક અર્થને જે બેધ થયે તે શ્રતજ્ઞાન. તેના પહેલાં શબ્દ કે અર્થને જે બેધ થયે, અને વાવાચકભાવ સંબધનું જે સ્મરણ થયું તે મતિજ્ઞાન છે. તેથી શ્રતજ્ઞાનની પૂર્વે અવશ્ય મતિજ્ઞાન હોય છે. તે મતિજ્ઞાનના બે ભેદ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. ઈન્દ્રિય અને મનદ્વારા થતા સ્પષ્ટ જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે. આ જ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે, પણ પરમાર્થથી ઈન્દ્રિય અને મન દ્વારા થતું હોવાથી તે ધૂમદ્વારા થતા અગ્નિના જ્ઞાનની પેઠે પક્ષ છે. અસ્પષ્ટ જ્ઞાનને પરોક્ષ કહે છે. | મુતજ્ઞાન - ઇન્દ્રિય અને મનથી શબ્દાર્થ પર્યાલચન દ્વારા થયેલ છે તે શ્રુતજ્ઞાન. જેમ, પહેલાં “ઘટ શબ્દ સાંભળે, પછી “ઘટશબ્દ ઘટસ્વરૂપ અર્થને વાચક છે એ પ્રમાણે વાચ્યવાચકભાવ સંબધનું સ્મરણ થયું, ત્યાર પછી ઘટ પદાર્થને બંધ થયા તે શ્રુતજ્ઞાન. શબ્દશ્રવણ અને વાચવાચકભાવ સંબન્ધનું સ્મરણએ બને મતિજ્ઞાન રૂપ છે અને શ્રતજ્ઞાનના કારણ છે. શબ્દ દ્રવ્યશ્રત છે, અને તે