________________
કર્મવિપાક-વિવેચન સહિત વિદનઃ- દાનાદિ ગુણને ઘાત કરનાર જે કર્મ તે વિન કે અંતરાય ક. તેના ઉત્તર ભેદ પાંચ છે.
જ્ઞાનાવરણાદિ કર્મના ક્રમનું પ્રયોજન – અહીં જ્ઞાન અને દર્શન આત્માનું સ્વરૂપ છે, કેમકે તેના સિવાય આત્મત્વને અસંભવ છે. જ્ઞાન અને દર્શનમાં વસ્તુઓને નિશ્ચય કરનાર જ્ઞાન હોવાથી જ્ઞાન પ્રધાન છે, તેથી તેનું આવરણ કરનાર જ્ઞાનાવરણ કર્મ પ્રથમ ગયું છે. જ્ઞાને પગ પછી દર્શનેપગ હોય છે, તેથી દર્શનાવરણ કર્મ પછી મૂક્યું છે, જ્ઞાન અને દર્શન વડે અનેક વિષને જાણ જીવ સુખને અનુ ભવે છે, અને તેના અભાવમાં અજ્ઞાનથી દુઃખને અનુભવે છે, સુખ અને દુઃખ વેદનીય કર્મનું ફલ હેવાથી ત્યાર પછી વેદનીય કર્મ કહ્યું છે. વેદનીય કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા સુખના સાધનમાં રાગ, અને દુઃખના સાધનમાં ષ ઉત્પન્ન થાય છે, માટે વેદનીય કર્મ રાગદ્વેષરૂપ મેહનીય કર્મના ઉદયનું નિમિત્ત હોવાથી ત્યાર પછી મેહનીય કર્મ કહ્યું છે. મહાસક્ત પ્રાણી નરકાદિક દુર્ગતિઓનું આયુષ્ય બાંધે છે, માટે મોહનીય કર્મ પછી આયુષ્ય કર્મ કહ્યું છે. આયુષ્યને ઉદય થવાથી ગત્યાદિ નામ કર્મને અવશ્ય ઉદય થાય છે, માટે ત્યાર પછી નામ કર્મ કહ્યું છે. ગત્યાદિ નામ કર્મને ઉદય થવાથી ઉચ્ચ અને નીચ એ વ્યવહાર થાય છે, માટે ત્યાર પછી ગોત્ર કર્મ કહ્યું છે. ઉચ્ચ ગોત્રને ઉદય થવાથી પ્રાયઃ જીવ દાનાદિકમાં પ્રવૃત્તિ કરી શકે છે, અને નીચ ગોત્રના ઉદયથી દાનાદિક કરી શકતું નથી, માટે ત્યાર પછી વિદ્ધ-અંતરાય કર્મ મૂક્યું છે.