________________
ક્રમ વિપાક–વિવેચનસહિત
૧૧
સ્થિતિમ ધઃ- સ્થિતિ એટલે કાલની મર્યાદા, આત્માની સાથે ક્રને અમુક કાલ સુધી મર્યાદિત સબન્ધ તે સ્થિતિબન્ધ. જેમ, જ્ઞાનાવરણુ કર્મોના ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધ ત્રીશ કોડાકોડી સાગરેાપમ, માહનીય કમના ઉત્કૃષ્ટ સ્થિતિમધ સિત્તેર કાડાકોડી સાગરે પમ વગેરે સ્થિતિમ ધ જાણવા.
રસબન્ધઃ- રસ એટલે સામ; કમ'માં જ્ઞાનાદિ ગુણના દાત કરવાનું કે શુભ અશુભ ફૂલ આપવાનુ' જે સામ છે તે રસમધ અથવા અનુભાગમ'ધ કહેવાય છે. જે કમ ન રસ આત્માના જ્ઞાનાદિ ગુણના ઘાત કરે છે તે ઘાતી રસ કહેવાય છે. જેમ, જ્ઞાનાવરણ કર્યું! રસ આત્માના જ્ઞાન ગુણના ઘાત કરે છે, દનાવરણ કમના રસ દનના ( સામાન્ય અવમેધના) ઘાત કરે છે, માહનીય કમ ના રસ આત્માના - વિવેક ગુણુના વ્રત કરે છે, અને અન્તરાય કીના રસ આત્માના દાનાદિ ગુણના ઘાત કરે છે; માટે તે ક ના રસ ઘાતી કહેવાય છે. કેટલાએક કમ ના રસ આત્માના ગુણુને ઘાત કરતા નથી, પણ શુભાશુભ કે સુખદુઃખાદિ ફૂલ આપે છે, તે અઘાતી રસ કહેવાય છે. જેમ, વેદનીય કર્મોના રસ આત્માના ગુણને ઘાત કરતા નથી. પણ સુખ દુ:ખ આપે છે, માટે તે અઘાતી રસ કહેવાય છે. ઘાતી ક`પ્રકૃતિને રસ આત્માના ગુણેને નાશ કરે છે માટે તે રસ અશુભ ગણાય છે. અઘાતી કર્મ પ્રકૃતિના રસ આત્માના ગુણનો ઘાત કરતા નથી, પણ શુભાશુભ ફૂલ આપે છે, તેમાં જે કર્મોનો રસ શુભ ફૂલ આપે છે, તે શુભ પ્રકૃતિ કે પુણ્ય ગણાય છે, અને જે ક્રમના રસ અશુભ