________________
કર્મવિપાક-વિવેચનસહિત અનાદિ કાળની છે. જે તેમ ન માનીએ તે પૂર્વે કોઈપણ કાળે છે. કર્મ રહિત-મુક્ત હોવા જોઈએ, અને તેમને કર્મને ન સંબંધ થયે તેમ માનવું પડશે. તે પછી જે જ કમને ક્ષય કરી મોક્ષને પ્રાપ્ત થયેલા છે, તેમને પણ કમને સંધ થવું જોઈએ, અને તેમ થાય તે મોક્ષ પણ અનુપાદેય થાય, માટે કમને પ્રવાહની અપેક્ષાએ અનાદિ સંબંધ છે.
કર્મનો વિયોગ - જ્યારે કર્મને સંબંધ પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે, તે તેને અંત પણ ન થવું જોઈએ? આ શંકા એગ્ય છે. કેમકે ખાણમાં સુવર્ણ અને માટીને અનાદિ સંગ છે, છતાં તેને અગ્નિ વગેરે સાધને મળવાથી વિયાગ જેવામાં આવે છે તેવી રીતે આત્મા અને કર્મને અનાદિ સંબંધ છતાં પણ સમ્યગ્દર્શનાદિ હેતુએ વડે વિયોગ થઈ શકે છે. જે પદાર્થો સ્વરૂપથી જુદા છે, તેમને કારણ મળતાં વિગ થાય છે, સુવર્ણ અને માટી સ્વરૂપથી લે છે, તેથી કારણ મળવાથી તેમને વિયેગ થાય છે, તેવી રીતે આત્મા અને કર્મ સ્વરૂપે ભિન્ન હોવાથી સમ્યગદર્શનાદિરૂપ કારણ મળવાથી તેમને વિયેગ થઈ શકે છે. કર્મને બંધ સ્વાભાવિક નથી, પણ મિથ્યાત્વાદિ હેતુઓને લીધે છે. જે તે હેતુઓને દૂર કરવામાં આવે તે નવા કમને બંધ ન થાય, અને જુના કર્મ ભગવાઈને ક્ષીણ થાય. એ રીતે કમને અનાદિ સંબંધ છતાં તેને વિયોગ થઈ શકે છે. . (પ્રકૃતિબંધ-સ્થિતિબંધ-રસબંધ-પ્રદેશબંધ, મોદકનું દૃષ્ટાંત, ચાર પ્રકારના બંધની વિશેષતા-)