________________
કવિપાક-વિવેચનસહિત સુધી આત્માના ગુણને આવરી શકતું નથી, પણ તે ઉદિત થઈ ભાવ કર્મ દ્વારા આત્માના ગુણને ઢાંકે છે. જેમ, મદ્ય વગેરે કેફી પદાર્થ કેફ ઉત્પન્ન કરીને મનુષ્યની અરૂપી જ્ઞાનશક્તિને નાશ કરે છે, તેમ દ્રવ્ય કર્મ ભાવકર્મ દ્વારા આત્માના ગુણને આવૃત કરે છે. એટલે મદિરાના દષ્ટાંતથી રૂપી પદાર્થ પણ અરૂપી આત્મિક ગુણોને ઘાત કરે છે. આ દ્રવ્ય કર્મનું મૂર્ત :- દ્રવ્યકર્મ પુગલ-પરમાણુ સ્વરૂપ હેવાથી મૂર્ત=રૂપી છે. યદ્યપિ તે અતિસૂક્ષ્મ હેવાથી ચર્મચક્ષુથી દેખાતું નથી તે પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળું હોવાથી તે મૂર્ત કે રૂપ સમજવું. જે કર્મને . અરૂપી માનવામાં આવે તે આકાશની પેઠે આત્માને અનુગ્રહ કે ઉપઘાત કંઈ પણ કરી શકે નહિ. ભાવ કર્મ આત્માના અશુદ્ધ પરિણામરૂપ હેવાથી અરૂપી છે.
કર્મને પ્રવાહની અપેક્ષાએ અનાદિ સંબંધ:કર્મ અમુક કાળે બંધાય છે, અને તે બાંધેલ કર્મ અમુક કાળ સુધી ગવાય છે, પછી તેને અંત થાય છે. જયારે તેને બંધ થયો ત્યારે તેની આદિ થઈ અને જ્યારે તે ઉદય પ્રાપ્ત થઈ જોગવાઈ ગયું ત્યારે તેને અંત થયે, તેથી કર્મની આદિ=શરૂઆત અને અંત છે, તે પણ પ્રવાહની અપેક્ષાએ કર્મ અનાદિ છે; એટલે પૂર્વના કમ ભગવાઈ નાશ પામે છે; અને નવા કર્મને બંધ થાય છે–આવી પરંપરા
૧ હવે કમને રૂપી પુદ્ગલરૂપ ન માનવામાં આવે, અર્થાત્ કેવળ વાસનારૂપ ભાવ કમજ માનવામાં આવે તે તે ઘટી શકશે નહિ, કેમકે વાસના હંમેશાં વાસક (વાસના ઉત્પન કરનાર) દ્રવ્યની અપેક્ષા રાખે છે, અને તેથી વાસના ઉત્પન્ન કરનાર દ્રવ્ય તરીકે દ્રવ્ય કમ માનવાની આવશ્યક્તા છે.