SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ કમવિપાક-વિવેચનસહિત કરે છે. બૌદ્ધો તેને સંસ્કાર, વાસના કે અવિદ્યા શબ્દથી સંબોધે છે. નૈયાયિકે તેને આત્માના ગુણ ધમધર્મ સ્વરૂપે માને છે. સાંખ્ય પ્રકૃતિસ્વરૂપ કહે છે. પૂર્વ મીમાંસકે અપૂર્વ કહે છે. વેદાન્ત માયાસ્વરૂપ કહે છે. આથી કર્મના સ્વરૂપમાં મતભેદ હોવા છતાં સામાન્ય રીતે સૌ કર્મના અસ્તિત્વને સ્વીકાર કરે છે. કર્મના ભેદ-કર્મના બે ભેદ છે-દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. આત્માના મિથ્યાત્વ-રાગદ્વવેદ પરિણામને ભાવ કર્મ કહે છે, અને તેથી જે પૌગલિક કર્મ બંધાય છે તેને દ્રવ્ય કર્મ કહે છે. એ રીતે દ્રવ્ય કર્મ ભાવ કર્મનું કાર્ય થાય છે. હવે દ્રવ્ય કર્મને ઉદય થવાથી જીવને મિથ્યાવ અને રાગદ્વેષાદિ ભાવ કર્મને પરિણામ થાય છે એ રીતે દ્રવ્ય કર્મનું કાર્ય ભાવ કર્મ થાય છે. એ પ્રમાણે દ્રવ્ય કર્મને ઉદય થવાથી રાગદ્વેષાદિ પરિણામ રૂપ ભાવ કર્મ, અને ભાવકર્મથી નવીન દ્રવ્ય કમને સંબંધ થાય છે. તે બન્ને કર્મની પરંપરા અનાદિ કાલની છે. દ્રવ્ય કર્મ – આ જગતમાં એક જાતના (કર્મ રૂપે પરિણમી શકે એવા) અનંત પરમાણુથી બનેલા અનન્ત સૂમઆ છે ભરેલા છે, તેને કાર્મણવર્ગ કહે છે. તેમાંથી રાગાદિ ભાવકર્મથી પરિણત થયેલે આત્મા પ્રતિસમય અનંતાનંત સ્કંધે ગ્રહણ કરે છે, તેનો આત્માની સાથે ક્ષીર -નીરની પેઠે કે અગ્નિલેહની જેમ સંબંધ થાય છે, અને તે સમયે રાગાદિ પરિણામના વશથી તે કાર્મણસ્કધમાં જ્ઞાનાદિ ગુણને આવરવિાની અને સુખ-દુઃખાદિ ઉત્પન્ન કરવાની જે શક્તિ ઉત્પન્ન ન થાય છે તેને દ્રવ્ય કર્મ કહે છે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy