SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ વિપાક-વિવેચનસહિત ભાવકમ – ઉપર જણાવ્યું કે ભાવ કર્મથી દ્રવ્ય કર્મ બંધાય છે, કેમકે ભાવ કર્મ દ્રવ્ય કર્મના બંધનું કારણ છે. તે ભાવ કર્મના ઘણા ભેદ છે, તે પણ તેમાંના કેટલાક ભેદો દ્રવ્ય કર્મબંધના ખાસ હેતુઓ છે, તેને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ કહેવામાં આવે છે. તે શાસ્ત્રમાં કર્મબંધના હેતુઓ તરીકે પ્રસિદ્ધ છે. (૧) મિથ્યાત્વ જવાદિ તત્વ ઉપર શ્રદ્ધા ન કરવી, અથવા વિપરીત શ્રદ્ધા કરવી. (૨) અવિરતિ=હિંસા, અસત્ય, ચેરી, બ્રહ્મચર્યનો અભાવ, પરિગ્રહ વગેરે, (૩) કષાય=ાધ, માન, માયા અને લેભ. (૪) ગમન, વચન અને કાયાની પ્રવૃત્તિ. કર્મ માનવાનું કારણ– દુનિયામાં સૂકમદષ્ટિથી અવલોકન કરનાર મનુષ્યને ઘણું વિચિત્રતા–વિવિધતા માલુમ પડે છે. કેટલાક પ્રાણી સુખ લેગવે છે, અને કેટલાએક દુખને અનુભવ કરે છે, કેઈ રાજા તે કઈ રંક, કઈ વિદ્વાન તે કઈ મૂખ, કેઈ સુંદર તે કેઈ કુરૂપ, કઈ ધનિક તે કેઈ નિર્ધન, કેઈ બળવાન તે કેઈ નિબળ, કેઈ નિગી તે કઈ રોગી, કોઈ પ્રિય તે કઈ અપ્રિયઆવી અનેક વિવિધતાઓ જણાય છે. આ વિચિત્રતાનું કાંઈ પણ કારણ હોવું જોઈએ. તેનું જે કારણે તેને અમે કર્મ કહીએ છીએ. તેથીજ સર્વ પ્રાણીઓમાં આત્મા સમાન હવા છતાં સુખદુઃખાદિની વિચિત્રતા જોવામાં આવે છે. કેઈ કહેશે કે તે વિચિત્રતા સ્વાભાવિક છે, તેનું કાંઈપણ કારણ
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy