________________
૨ કર્મવિપાક–વિવેચનસહિત આ ગાથાના પૂર્વાધ વડે ગ્રંથકારે મહાવીર જિનને વન્દન કરવા રૂપ મંગલ કર્યું, વિષય બતાવ્ય, પ્રજનનું સૂચન કર્યું; તથા ગર્ભિતપણે સંબંધ અને અધિકારીને પણ જશાવ્યા. ગ્રંથકર્તા પિતાના ગ્રંથની શરૂઆતમાં ઘણું કરીને વિષય, પ્રજન, સંબન્ધ અને અધિકારી આ ચાર બાબતે જણાવે છે, તેને અનુબંધચતુષ્ટય કહે છે.
અનુબંધચતુષ્ટય- અનુબંધ એટલે હેતુ. ગ્રંથને વિષે અધ્યયનાદિક પ્રવૃત્તિમાં જે કારણ હેય તેને અનુબંધ કહે છે. જ્યાં સુધી ગ્રંથના વિષયાદિકનું જ્ઞાન ન થાય ત્યાં સુધી કઈ મનુષ્ય તેના વાચન કે અધ્યયનમાં એકદમ પ્રવૃત્ત થતું નથી, માટે ગ્રંથના પ્રારંભમાં અનુબંધચતુષ્ટયનું જ્ઞાન ઉપયોગી છે.
, વિષય- ગ્રંથમાં જે બાબત પ્રધાનપણે પ્રતિપાદન કરેલી હોય તેને વિષય કહે છે. આ કર્મવિપાક નામના ગ્રંથમાં કર્મના વિપાકનું મુખ્યપણે વર્ણન છે, અને તેનો ક્રમવિદ્યા એ પદથી સ્પષ્ટ નિર્દેશ કરે છે. ગ્રંથને પ્રધાન વિષય શો છે તે જાણ્યા સિવાય તેના વાચનાદિમાં પ્રવૃત્તિ થતી નથી. જે ગ્રંથના પ્રારંભમાં વિષયને સ્પષ્ટ નિદેશ નથી હેતે તેને વિષય સામાન્ય અવલેકનથી કે કોઈના કથનથી જાણું મનુષ્ય તેના વાચન કે અધ્યયનમાં પ્રવૃત્ત થાય છે. માટે પ્રારંભમાં વિષયનું સામાન્ય જ્ઞાન શાસ્ત્ર વિષે પ્રવૃત્તિમાં ઉપયોગી છે. આ પ્રયોજન - જેને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરાય તે પ્રયોજન. કેવળ વિષયના જ્ઞાનથી પ્રવૃત્તિ થતી નથી, પણ વિષયનું
કેળ જનમાં ઉપર