________________
લેશ્યામાર્ગનું બન્ધસ્વામિત્વ વિવેચન સહિત ૩૪૯ તેમ સંભવે છે. પછી તે બહુશ્રુતગમ્ય. મિથ્યાત્વ ગુણસ્થાનકે જિનનામ અને તે આહારકદ્ધિકરડિત ૧૦૧ પ્રકૃતિએ બંધાય, અને સાસ્વાદનાદિ તેર ગુણસ્થાનકે એ ઘબંધ જાણ, પદ્મવેશ્યા પ્રથમના સાત ગુણસ્થાનક સુધી હોય છે, તે એલેશ્યા અને પદ્મલેશ્યામાં એટલી વિશેષતા છે કે પદ્મશ્યાવાળે નરકાદિ નવ પ્રકૃતિઓ ઉપરાંત એકેન્દ્રિય, સ્થાવર, અને આતપ એ ત્રણ પ્રકૃતિઓ બાંધતું નથી અને તેજોલેશ્યાવાળે એકેન્દ્રિયમાં ઉપજે છે માટે ઉક્ત ત્રણ પ્રકૃતિઓ બાંધે છે. માટે આ માણાએ નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, એકેન્દ્રિય સ્થાવર અને આતપનામ એ બાર પ્રકૃતિએ રહિત એઘે એકસે આઠ પ્રકૃતિઓ બંધાય છે, કારણ કે પદ્મશ્યાવાળો નરકાદિમાં તેમજ એકેન્દ્રિયાદિમાં ઉપજતું નથી, માટે તા... એ બાર પ્રકૃતિઓ બાંધતું નથી. તેમાં જિનનામ, આહારકશરીર અને આહારક અંગે પાંગ-એ ત્રણ પ્રકૃતિએ સભ્યત્વ અને ચારિત્રના અભાવથી મિથ્યાત્વગુણસ્થાનકે ન બંધાય, એટલે ઉક્ત ત્રણ પ્રકૃતિએ બાદ કરતાં ૧૦૫ પ્રકૃતિએ પલેશ્યાવાળાને મિથ્યાત્વગુણસ્થાનકે બંધમાં હાય. બીજા ગુણસ્થાનકથી માંડી સાતમા ગુણસ્થાનક સુધી સામાન્ય બંધાધિકારમાં કહેલ બંધસ્વામિત્વ જાણવું.
ભવ્ય, અભવ્ય, સંજ્ઞી, અસંજ્ઞી અને અનાહારક માર્ગણાએ બંધસ્વામિત્વसव्वगुणभव्य-सन्निसु, ओहु अभव्या असन्नि मिच्छसमा। सासणि असन्नि सन्नि व्व कम्मणभंगा अणाहारे ॥२३॥