SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત લેશ્યામાર્ગણા સંબધથી આત્માને જે શુભાશુભ પરિણામ થાય તે લેડ્યા છે. તેમાં કષાય સહચારી છે. જેમ જેમ કષાયની તીવ્રતા હોય છે તેમ તેમ વેશ્યાઓ અશુભ અશુભતર હોય છે અને કષાયની મન્દતા થતાં વેશ્યાઓ ક્રમશ: વિશુદ્ધ વિશુદ્ધતર થાય છે. જેમકે અનન્તાનુબધી તીવ્ર કષાયવતા જીવને કૃષ્ણ લેશ્યા હોય છે, અને અત્યંત મન્દ અનતાનુ બધી કષાયવાળાને શુકૂલલેશ્યા હોય છે. અહીં કોઈ આચાર્ય, દેવે અને નરકેને વેશ્યા શરીરના વર્ણરૂપ માને છે, કારણ કે સાતમી નરકમૃથિવીએ સમ્યકત્વની પ્રાપ્તિ કહી છે, અને ત્યાં દ્રવ્ય કૃપલેશ્યા જ હોય છે, પરંતુ સમ્યકત્વની પ્રાપ્તિ શુભ લેશ્યાએ થાય છે તે કૃષ્ણલેશ્યાએ વર્તમાન જીવને સમ્યક્ત્વ શી રીતે થાય? માટે લેસ્થા શરીરના વર્ણરૂપ જાણવી, અને ભાવની પરવૃત્તિથી અધ્યવસાયવિશેષરૂપ ભાવલેશ્યા છે એ હોય. માટે શુભ એવી ત્રણ ભાવકશ્યાએ સમ્યક્ત્વપ્રાપ્તિ થાય. તે અયુક્ત છે, કારણ કે જે શરીરવર્ણરૂપ દ્રવ્યલેશ્યા હોય તે ભગવતીસૂત્રના પ્રથમ શતકમાં “નરરૂથા મને ! સર્વે समवण्णा? गोयमा नो इणठे. । नेरइया णं भते सव्वे મહેરસ એ બન્ને સૂત્રો ભેદપૂર્વક કહેત નહિ, તેથી લેણ્યા શરીરના વણ થી ભિન્ન છે. “ભાવપરાવૃત્તિથી છ એ વેશ્યા હોય છે. તેને એ અર્થ છે કે જેમ વૈડૂર્યમણિ રાતા સૂત્રથી પચ્ચે હોય તે રક્તરૂપ ન થાય, માત્ર લાલ છાયા દેખાય, તેમ કૃષ્ણલેશ્યાદિ દ્રવ્ય તેજલેશ્યાદિ દ્રવ્યસંબધે તેલેશ્યાદિદ્રવ્યપણે પરિણમે નહિ, પણ આકારભાવ માત્ર તથા પ્રતિબિંબરૂપે તેલેશ્યા સરખી થાય. તેથી સપ્તમ નરક પૃથિવીમાં સમ્યક્ત્વપ્રાપ્તિ વિશુદ્ધ એવી ભાવેશ્યાએ હોય, પણ દ્રવ્યથી કૃષ્ણ વેશ્યા જ
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy