SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનમાગણા બન્યસ્વામિત્વ વિવેચનસહિત ૩૩૭ હોતું નથી, કારણ કે પરિહારવિશુદ્ધિ ચારિત્ર કંઈક ન્યૂન દશપૂર્વધરને હોય છે, અને આહારકલબ્ધિ તે ચતુર્દશપૂર્વ ધરને જ હોય છે, પરંતુ તેને અપ્રમત્તસંયમનિમિત્તક આહારદિકને બંધ હોય છે, તેથી આઘે, ૬૫, પ્રમત્તગુણસ્થાનકે ૬૩-ઇત્યાદિ પ્રકૃતિએને બંધ જાણ. કેવલજ્ઞાન અને કેવદર્શન માર્ગણુએ છેલલાં સગી કેવલી અને અગી કેવલી એ બે ગુણસ્થાનકે હેય છે. તેમાં સયેગિ ગુણસ્થાનકે નિમિત્ત સાતવેદનીય બાંધે છે અને અગી ગુણસ્થાનકે બંધને અભાવ હોય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન બંને ક્ષાયિક છે, માટે ત્યાં સાયિકભાવ નિષ્પન્ન એ બે ગુણસ્થાનક હોય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને અવધિદર્શન માગંણાએ અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આરંભી ક્ષીણમોહ સુધી નવ ગુણસ્થાનક હોય છે. કેમકે પ્રથમના ત્રણ ગુણસ્થાનકે સમ્યકત્વ નહિ હોવાથી અજ્ઞાન હોય છે અને છેલ્લા બે ગુણસ્થાનકે ક્ષાપશનિક મતિજ્ઞાનાદિ લેતા નથી, એક માત્ર સાયિક ભાવ હોય છે. ત્યાં એથે ૭૯ પ્રકૃતિએ – ને બધુ હોય છે, કેમકે અવિરતિ ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓને બંધ હોય. તેમાં આહારકશરીર અને આહારક અંશેપાંગ એ બે પ્રકૃતિઓ મેળવતાં ૭૯ પ્રકૃતિએ ઘે બંધાય છે, અવિરતિ ગુણસ્થાનકે ૭૭ ઈત્યાદિ કર્મસ્તક્ત બંધાધિકારમાં વર્ણિત બધસ્વામિત્વ કહેવું. अड उवसमि चउ वेयगि, खइए इक्कार मिच्छतिगि देसे । सुहुमि सठाणं तेरस, आहारगि नियनियगुणोहो ॥१९॥ કર્મ. રર
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy