________________
૩૩ર બન્યસ્વામિત્વ વિવેચનસહિત. કષાયમાર્ગણા પર્યાયની અભેદવિવક્ષાથી વેદાદિઉદયવંત જીવને ગ્રહણ કરવા. એ પ્રમાણે વેદમાર્ગણાએ ગુણસ્થાનકે કહ્યા.
હવે કષાયમાર્ગણાએ ગુણસ્થાનક કહે છે-પ્રથમના ચાર અનન્તાનુબન્ધી કષાયમાર્ગીણાએ મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે ગુણસ્થાનકે હાય. ત્યાં એથે ૧૧૭ પ્રકૃતિઓ હોય છે, કારણ કે અનન્તાનુબંધી કષાયના ઉદયે સમ્યકત્વ અને ચારિત્ર ન હોય, તેથી તત્કાગ્ય જિનનામ અને આહારકદ્વિક–એ ત્રણ પ્રકૃતિએ ન બંધાય. એટલે એશે અને મિથ્યાત્વે ૧૧૭ અને સાસ્વાદને ૧૦૧ પ્રકૃતિને બન્ધ થાય છે.
અપ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયમાર્ગણાએ મિથ્યાસ્વાદિ ચાર ગુણસ્થાનક હોય છે. આ કષાયના ઉદયમાં સમ્યકુત્વને સંભવ છે, માટે અહીં જિનનામ કર્મનો બન્ધ હોય, પણ ચારિત્રને અભાવ હોવાથી આહારદ્ધિકના બંધને સંભવ નથી. તેથી આઘે ૧૧૮ પ્રકૃતિઓ, મિથ્યાત્વે જિનનામહીન ૧૧૭ પ્રકૃતિઓ, સાસ્વાદને ૧૦૧, મિશ્રગુણસ્થાનકે ૭૪ અને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે.
ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયમાર્ગણાએ મિયાત્વાદિક પાંચ ગુણસ્થાનક હોય છે. ત્યાં સમ્યક્ત્વ હોવાથી જિનનામ બંધાય છે, પણ ચારિત્રના અભાવે આહારકદ્ધિક બંધાતું નથી. તેથી આઘે ૧૧૮, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિત્રે ૭૪, અવિરતિ ગુણસ્થાનકે ૭૭ અને દેશવિરતિ ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિએ બંધાય છે. અહીં