SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યગતિ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૩૦૭ સત્તરને બન્ધ, તેમાંથી જ્ઞાનાવરણય પાંચ, દર્શનાવરણીય ચાર, યશકીર્તાિનામકર્મ, ઉચ્ચગોત્ર અને પાંચ અન્તરાયએ સેળ પ્રકૃતિ ન્યૂન કરતાં ઉપશાન્તહાદિ ત્રણ ગુણસ્થાનકે એક સાતવેદનીયને બધે જાણ. અને અગી ગુણસ્થાનકે કેગના અભાવે બન્ધને અભાવ છે. એ પ્રમાણે કર્મસ્તક્ત બન્ધ મનુષ્યને પ્રમત્તાદિ ગુણસ્થાનકે કહે. | જિનનામ, દેવદ્ધિક વૈક્રિયદ્રિક, આહારકકિ દેવાયુષ અને નરકત્રિક એ જિનનામાદિ અગીયાર પ્રકૃતિએ સામાન્યરૂપે બન્ધમાં કહેલી એકસે વીશ પ્રકૃતિમાંથી બાદ કરતાં બાકી રહેલી એકસે નવ પ્રકૃતિઓનો બન્ધ તથા મિથ્યાત્વગુ સ્થાનકે લબ્ધિ અપર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યને હૈય, તેને એક મિથ્યાત્વગુણસ્થાનક છે, પણ બાકીના ગુણસ્થાનકે નથી. એ મિથ્યાદિષ્ટ હોવાથી જિનનામ તથા આહારકટ્રિકન બાંધે, તે મરીને દેવગતિમાં પણ ન જાય, માટે દેવત્રિક અને વૈક્રિયદ્ધિક પણ ન બાંધે, તેમજ નરકગતિમાં પણ ન ઉપજે, માટે નરકત્રિક પણ ન બાંધે, તેથી જિનનામાદિ અગીયાર પ્રવૃતિઓ સામાન્ય બન્થગ્ય પ્રવૃતિઓમાંથી હીન કરવી. અહીં મનુ વ્ય અને તિર્યંચ લબ્ધિઅપર્યાપ્તા ગ્રહણ કરવા. કરણ અપર્યાપ્ત તિર્યંચ અને મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં પણ સાસ્વાદનાદિ ગુણસ્થાનકે હોય છે, અને ત્યાં દેવદ્રિકાદિને પણ બન્ધ થાય છે, માટે તે અહીં ન ગ્રહણ કર્યા. કરણ અપર્યાપ્ત દેવ તથા મનુષ્યને અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે તીર્થકર નામકર્મને પણ બન્ધ થાય છે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy