________________
નરકગતિ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. શત્રુ તેથી તેને સૂફમત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, આતપ અને વિકલત્રિક એ નવ પ્રકૃતિએ બંધાતી નથી. તથા આહારકટ્રિકને બન્ધ વિશિષ્ટચારિત્રનિમિત્તક થાય છે, અને નારકોને ચાસ્ત્રિ હેતું નથી. તેથી આહારદ્ધિક પણ બંધાતું નથી. એ રીતે સુરાદિ ઓગણીશ પ્રકૃતિઓ સિવાય જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય નવ, વેદનીય બે, મોહનીય છવીશ, આયુષ બે, નામકર્મ પચાસ, ગેત્ર કર્મ બે અને અન્તરાય કર્મ પાંચ-સર્વે મળીને એકસે એક પ્રકૃતિઓ આઘે બાંધે છે.
હવે ગુણસ્થાનક વિશેષની અપેક્ષાએ બન્યસ્વામિત્વ કહે છે-મિથ્યાત્વગુણસ્થાનકે તીર્થંકરનામકર્મ ન બંધાય, કારણ કે તીર્થંકરનામકર્મના બંધને હેતુ સમ્યફત્વ છે, અને તે મિથ્યાત્વગુણસ્થાનકે નથી, તેથી એકસે એક પ્રકૃતિમાંથી તીર્થંકરનામ બાદ કરતાં મિથ્યાત્વ ગુણસ્થાનકે સે પ્રકૃતિઓ બંધાય.
નપુંસકવેદ, મિથ્યાત્વમેહનીય, હુડકસંસ્થાન અને સેવાર્તાસંહાન–એ ચાર પ્રકૃતિઓ વિના સાસ્વાદન ગુણસ્થાનકે છનું પ્રકૃતિઓને બન્ધ થાય, કારણ કે નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, હુડકસંસ્થાન, આતપનામ, છેવ સંઘયણ, નપુંસકવેદ અને મિથ્યાત્વમેહનીય–એ સેળ પ્રવૃતિઓને અન્ય મિથ્યાત્વનિમિત્તક થાય છે, તેમાં નરકત્રિક, સૂકમરિક, વિકલત્રિક, એકેન્દ્રિયજાતિ, સ્થાવર નામ અને આતપનામ-એ બાર પ્રકૃતિએને નારકો ભવપ્રત્યય બાંધતા નથી, તેથી તેને સુરાદિ ઓગણીશ પ્રકૃતિઓમાં ગૃહીત કરી ઘબંધમાંથી જ કાઢી નાખી છે. બાકી