________________
૨૮૮ બસ્વામિત્વ વિવેચનસહિત માગણાસ્થાનક,
૫ વેદ, ૧ સ્ત્રીવેદ, ૨ પુરુષવેદ અને ૩ નપુંસકવેદ -એ ત્રણ પ્રકારે વેદમાર્ગનું છે.
૬ કષાય, ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા અને ૪ લેભએમ ચાર પ્રકારે કષાયમાગણ છે.
૭ જ્ઞાન, ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન અને ૫ કેવલજ્ઞાન-એ પ્રમાણે જ્ઞાન પાંચ પ્રકારે છે. જ્ઞાનના ગ્રહણ કરવાથી તેના પ્રતિપક્ષી અજ્ઞાનનું પણ ગ્રહણ કરવું. તેના ત્રણ પ્રકાર છે-૧ મત્યજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન અને ૩ વિર્ભાગજ્ઞાન–એ રીતે જ્ઞાનમાર્ગણાના આઠ પ્રકાર છે.
૮ સંયમ, સંયમ પાંચ પ્રકારે છે–૧ સામાયિક, ૨ છે પસ્થાપનીય, ૩ પરિહારવિશુદ્ધિ, ૪ સૂક્ષ્મસં૫રાય અને ૫ યથાખ્યાત. સંયમના ગ્રહણથી તેના પ્રતિપક્ષી દેશવિરતિ અને અવિરતિનું પણ ગ્રહણ કરવું. એ પ્રમાણે સંયમમાર્ગણ સાત પ્રકારે છે.
૯ દશન. દર્શનમાર્ગણ ચાર પ્રકારે છે– ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન અને ૪ કેવલદર્શન.
૧૦ લે. શ્યામાર્ગણા છ પ્રકારે છે-૧ કૃષ્ણલેશ્યા, ૨ નીલેશ્યા, ૩ કાતિલેશ્યા, ૪ તેજલેશ્યા, ૫ પદ્યલેશ્યા અને ૬ શુકલેશ્યા.
૧૧ ભવ્ય. તેવા પ્રકારના અનાદિ સ્વભાવથી સિદ્ધિગમનને વેગ્ય તે ભવ્યજીવ. ભવ્યના ગ્રહણથી તેને પ્રતિ પક્ષી અભવ્યનું પણ ગ્રહણ કરવું. અભવ્ય–સિદ્ધિગમનને અગ્ય. એમ ભવ્યમાર્ગ બે પ્રકારે છે.