SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ બસ્વામિત્વ વિવેચનસહિત માગણાસ્થાનક, ૫ વેદ, ૧ સ્ત્રીવેદ, ૨ પુરુષવેદ અને ૩ નપુંસકવેદ -એ ત્રણ પ્રકારે વેદમાર્ગનું છે. ૬ કષાય, ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા અને ૪ લેભએમ ચાર પ્રકારે કષાયમાગણ છે. ૭ જ્ઞાન, ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન અને ૫ કેવલજ્ઞાન-એ પ્રમાણે જ્ઞાન પાંચ પ્રકારે છે. જ્ઞાનના ગ્રહણ કરવાથી તેના પ્રતિપક્ષી અજ્ઞાનનું પણ ગ્રહણ કરવું. તેના ત્રણ પ્રકાર છે-૧ મત્યજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન અને ૩ વિર્ભાગજ્ઞાન–એ રીતે જ્ઞાનમાર્ગણાના આઠ પ્રકાર છે. ૮ સંયમ, સંયમ પાંચ પ્રકારે છે–૧ સામાયિક, ૨ છે પસ્થાપનીય, ૩ પરિહારવિશુદ્ધિ, ૪ સૂક્ષ્મસં૫રાય અને ૫ યથાખ્યાત. સંયમના ગ્રહણથી તેના પ્રતિપક્ષી દેશવિરતિ અને અવિરતિનું પણ ગ્રહણ કરવું. એ પ્રમાણે સંયમમાર્ગણ સાત પ્રકારે છે. ૯ દશન. દર્શનમાર્ગણ ચાર પ્રકારે છે– ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન અને ૪ કેવલદર્શન. ૧૦ લે. શ્યામાર્ગણા છ પ્રકારે છે-૧ કૃષ્ણલેશ્યા, ૨ નીલેશ્યા, ૩ કાતિલેશ્યા, ૪ તેજલેશ્યા, ૫ પદ્યલેશ્યા અને ૬ શુકલેશ્યા. ૧૧ ભવ્ય. તેવા પ્રકારના અનાદિ સ્વભાવથી સિદ્ધિગમનને વેગ્ય તે ભવ્યજીવ. ભવ્યના ગ્રહણથી તેને પ્રતિ પક્ષી અભવ્યનું પણ ગ્રહણ કરવું. અભવ્ય–સિદ્ધિગમનને અગ્ય. એમ ભવ્યમાર્ગ બે પ્રકારે છે.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy