________________
માગણાસ્થાનક બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. ૨૮૯
૧૨ સભ્યત્વસમ્યકત્વના ત્રણ પ્રકાર છે–૧ ક્ષાયિક, ૨ લાપશમિક અને ૩ ઔપશમિક. સમ્યકત્વના ગ્રહણથી તેના પ્રતિપક્ષી મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્રનું પણ ગ્રહણ કરવું. એ રીતે સમ્યફવમાર્ગણ છ પ્રકારે છે.
૧૩ સંજ્ઞી. મને વિજ્ઞાન સહિત તે સંજ્ઞી, સંજ્ઞોના ગ્રહણથી તેના પ્રતિપક્ષી અસંજ્ઞી પણ સૂચિત થાય છે. અસંજ્ઞીમને વિજ્ઞાન રહિત. એ રીતે સંજ્ઞમાર્ગણા બે પ્રકારે છે.
૧૪ આહારક. એજાહાર, માહાર અને પ્રક્ષેપાહારમાંને કઈ પણ પ્રકારને આહાર કરે તે આહાશ્ક. આહારકના ગ્રહણથી તેના પ્રતિપક્ષી અનાહારક પણ ગ્રહણ કરવા. એ પ્રમાણે આહારકમાર્ગણા બે પ્રકારે છે.
અહીં માર્ગ સ્થાનમાં જ્ઞાનાદિના ગ્રહણ સાથે તેના પ્રતિપક્ષ અજ્ઞાનાદિનું ગ્રહણ પ્રત્યેક માર્ગણાઓમાં સર્વ સાંસારિક ને સમાવેશ કરવા માટે કર્યું છે.
અહીં ગત્યાદિમાગંણાને વિષે બન્ધસ્વામિત્વ કહેવાનું છે, તેમાં બન્ધને આશ્રયી એકવીશ પ્રકૃતિએ વિવક્ષિત છે. જ્ઞાનાવરણની ઉત્તર પ્રવૃતિઓ પાંચ, દર્શનાવરણની નવ, વેદનીયની બે, મેહનીયની છવીસ, આયુષની ચાર, નામકર્મની સડસઠ, પિંડ પ્રકૃતિના પાંસઠ ભેદમાંથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના વશ ઉત્તર ભેદને સામાન્ય ચાર ભેમાં સમાવેશ કરતાં તથા બન્ધન અને સંઘાતના દશ ભેરેને શરીરમાં સમાવેશ કરતાં પિંડ પ્રકૃતિના ઓગણચાલીશભેદે થાય છે. ત્રસદશક, સ્થાવરદશક અને આઠ પ્રત્યેક પ્રવૃતિઓ કર્મ. ૧૯