________________
નથી સમજાતે કે કર્મબંધ વિભાવરૂપ નિમિત્તના વશથી આનુષંગિક જ પ્રવર્તે છે. તાત્વિક દષ્ટિથી પિતે પિતાને જ કર્તા છે. જ્યારે નિશ્ચય દષ્ટિથી આત્મા વિભાવ પરિણમનું કતૃત્વ સ્વીકારે છે ત્યારે તે કર્મના ઉપર જવાબદારી ન ઢોળતાં પિતાની જ જવાબદારી સ્વીકારે છે અને વિભાવ પરિણતિથી વિરમવા પ્રયત્ન શીલ થાય છે. વ્યવહાર દષ્ટિ ચાલુ પરિસ્થિતિને ગ્રહણ કરે છે, અને નિશ્ચય દષ્ટિ મૂળ સ્વભાવને ગ્રહણ કરે છે.
એ રીતે સામાન્ય રીતે કર્મનું સ્વરૂપ અને તેના સંબધે સંક્ષેપમાં કહેવામાં આવ્યું છે.
ગ્રન્થ પરિચય–કર્મ સંબધે છ કર્મગ્રન્ય પ્રસિદ્ધ છે, તેને નામ-૧ કર્મવિપાક, ૨ કર્મ સ્તવ, ૩ બપસ્વામિત્વ, ૪ ષડશીતિક, ૫ શતક અને ૬ સપ્તતિકા. પ્રથમના ત્રણ કર્મચન્થ ના ભાગમાં આપવામાં આવ્યા છે, તેના વિશેષ પરિચય માટે તેના અધ્યયનની જરૂર છે, પણ સામાન્ય પરિચય માટે નામ, વિષય, ર્તા આદિ અનેક બાબત તરફ ધ્યાન આપવું આવશ્યક છે.
નામ અને વિષય--આમાંના પ્રથમ કર્મગ્રન્થનું નામ કર્મ વિપાક છે અને તે પિતાના નામ માત્રથી પોતાને વિષય સૂચિત કરે છે. તેને પ્રથમ કર્મગ્રન્થ પણ કહે છે. કારણ કે તેનું પ્રથમ અધ્યયન કર્યા સિવાય બીજા કર્મ– ગ્રામાં પ્રવેશ થતું નથી. તેમાં મૂળ અને ઉત્તર પ્રવૃતિઓના
દાંતથા તેના વિપાકનું-ફળનું વિગતવાર વર્ણન કરેલું છે. દીવા કર્મગ્રન્થનું નામ કસ્તવ છે, ન્યકર્તાએ તૃતીય