________________
૩૦
ન થયા અને એ કમને નિષ્ફળ કર્યું, નવી ભૂલ ન કરી. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનનિમગ્ન હતા અને કેઈ સૈનિકની વાતથી પિતાના માલપુત્ર ઉપર દુશમનેએ ચઢાઈ કરેલી જાણી ક્રોધને આધીન થયા, શુભ ધ્યાન ચૂકી રૌદ્ર ધ્યાનને વશ થઈ સપ્તમ નરક ગતિનું કર્મ બાંધ્યું, પણ ક્ષણવારમાં પિતાની ભૂલ જણાઈ અને તુરતજ સુધારી ધ્યાનારૂઢ થઈ નરકગતિના કર્મને વિખેરી નાંખ્યું અને સર્વ કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. મેતાર્યમુનિ તે ઉદયમાન કામના નિમિત્તને આધીન જ ન થયા, અને પ્રસન્નચંદ્ર રાજવિએ નિમિત્તને આધીન થઈ ભૂલ કરી પણ તુરત સુધારી લીધી એ અહીં વિચારણીય છે. .
જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ સામાન્ય અને વિશેષ બેધને ઘાત કરે છે અને તેના ઉદયથી જીવ અણસમજુ કે અપશ થાય છે. અન્તરાય કર્મ આત્માની વીર્ય શક્તિને ઘાત કરે છે. તેથી જીવ સમજવા છતાં સત્કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતો નથી. તથા મેહનીય કર્મ બ્રાન્તિ, અથવા મિથ્યાજ્ઞાન અને ક્રોધાદિ કષાયે ઉત્પન્ન કરે છે. એટલે આ ચારે કર્મની સત્તા છેડે ઘણે અંશે આત્મા ઉપર છે. તેમાં મોહનીય કર્મ સિવાયના બાકીના કર્મની સત્તા આત્મા ઉપર અલ્પ છે અને તે ભાવ કર્મની રચનામાં અલ્પાશે ઉપયોગી થાય છે. પણ આમાં મોટો ફાળે મેહનીય કર્મને છે, કેમકે તેનીજ ભાવકર્મની રચનામાં મોટી મદદ છે. બાકીના વેદનીયાદિ કમેની તે માત્ર બાહ્ય નિમિત્તે રચવામાંજ કૃતાર્થતા છે. તે સિવાય એ કશું કરી શક્તા નથી.'