________________
૨૫૮
કર્મસ્તવ વિવેચન સહિત વિરતિગુણસ્થાનકે સત્યાશી પ્રકૃતિએને ઉદય અને ઉદીરણ હોય છે. પ્રમત્તગુણસ્થાનકે એકાશી પ્રકૃતિને ઉદય અને ઉદીરણ જાણવી. અપ્રમત્તગુણસ્થાનકે કાંતેર પ્રકૃતિઓને ઉદય અને તહેતેર પ્રકૃતિએની ઉદીરણ જાણવી, કારણ કે થીણદ્વિત્રિક, આહારકદ્ધિક, વેદનીયદ્ધિક અને મનુષ્યાયુષ એ આઠ પ્રકૃતિઓને ઉદીરણાને આશ્રયી પ્રમત્તગુણસ્થાનકે વિચ્છેદ થાય છે. ત્યાન દ્વિત્રિક પ્રમાદરૂપ હોવાથી અપ્રમતાદિ ગુણસ્થાનકે તેને ઉદય નથી, તે તેની ઉદીરણા તે ક્યાંથી હોય ? આહારકશરીર વિક્ર્વતે યતિ ઉત્સુકતા યુક્ત હોવાથી પ્રમત્તજ હોય છે, માટે અપ્રમત્તાદિને તેને ઉદય નથી, તે તેની ઉદીરણા ક્યાંથી હોય ? સાતા, અસાતા, અને મનુષ્યાયુષની પ્રમત્ત ગવડે ઉદીરણ થાય છે, બીજાથી થતી નથી, માટે ઉપરના ગુણસ્થાનકોમાં તેની ઉદીરણ નથી. ઉદયને આશ્રયી પ્રમત્તગુણસ્થાનકે ત્યાનદ્વિત્રિક, અને આહારકક–એ પાંચ પ્રકૃતિએ વ્યવચ્છિન્ન થાય છે, અને ઉદીરણાને આશ્રય સ્થાન દ્વિત્રિક, આહારદ્ધિક, સાતા અને અસાતા વેદનીય તથા મનુષ્યાયુષ–એ આઠ પ્રકૃતિઓ વ્યવચ્છિન્ન થાય છે. માટે ઉદયથી સાતા અસાતા અને મનુષ્પાયુષએ ત્રણ પ્રકૃતિહીન ઉદીરણા જાણવી. અપૂર્વ કરણ ગુણસ્થાનકે બહોંતેરનો ઉદય અને ઓગણસીત્તેરની ઉદીરણા, અનિવૃત્તિગુણસ્થાનકે છાસઠને ઉદય અને ઉદીરણા
સઠ પ્રકૃતિની હોય છે. સૂમસ પરાયગુણસ્થાનકે ઉદયમાં સાઠ અને ઉદીરણામાં સતાવન, ઉપશાન્તર્મુહગુણસ્થાનકે ઉદયમાં ઓગણસાઠ અને ઉદીરણામાં છપન, ક્ષીણ ગુણ