________________
૨૫૦
કમસ્તવ વિવેચનસહિત હેતું નથી. માટે પૂર્વોક્ત છેતર પ્રવૃતિઓમાંથી એ ચાર પ્રકૃતિએ બાદ કરતાં અપૂર્વકરણ ગુણસ્થાનકે જ્ઞાન વરણ પાંચ, દર્શનાવરણ છે, વેદનીય બે, મેહનીય તે, આયુષ્ય એક, નામકર્મ ઓગણચાલીસ, ગોત્રકમ એક અને અન્તરાયકર્મ પાંચ-સર્વે મળીને બહેતર પ્રવૃતિઓ ઉદયમાં હેય છે.
ત્યાં હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા-એ છે પ્રકૃતિએને વિચ્છેદ થાય, કારણ કે હાસ્યાદિ ષક સંકુલ શરૂપ હોવાથી અને ઉપરના ગુણસ્થાનકેમાં અત્યંત વિશુદ્ધ પરિણામ હવાથી ઉદયમાં હોતા નથી, માટે અપૂર્વકરણે તેને ઉદય વિચ્છેદ થાય, એટલે અનિવૃત્તિગુણસ્થાનકે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ છે, વેદનીય બે, મોહનીય સાત, આયુષ એક, નામકર્મ ઓગણચાલીસ, ગેત્ર એક અને અન્તરાય પાંચ-સર્વ મળીને છાસઠ પ્રકૃતિએ ઉદયમાં રહે છે.
પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસદ, સંજવલન કોધ, માન અને માયાએ છ પ્રકૃતિએને અનિવૃત્તિ બાદરગુણસ્થાનકે વિચછેદ થાય, જે સ્ત્રીવેદે શ્રેણિને પ્રારંભ કરે તે પ્રથમ સીવેદને ઉદય વિચ્છેદ થાય, ત્યાર પછી અનુક્રમે પુરુષવેદ નપુંસકવેદ અને સંજવલનત્રિકને ઉદયવિદ થાય. જે પુરુષવેદ શ્રેણિ માંડે તે પ્રથમ પુરુષવેદ, અને ત્યાર પછી અનુક્રમે સીવેદ, નપુંસકવેદ અને સંજવલનત્રિકને ઉદયવિચ્છેદ થાય. જે નપુસકવેદે શ્રેણિ માંડે તે અનુક્રમે નપુંસકવેદ, આવેદ, પુરુષવેદ, અને સંજવલનત્રિકને ઉદયવિચ્છેદ થાય.