SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદય : ૨૪૭ [ અષ્ટછેઃ પ્રવાશીતિઃ પ્રમત્તે, હારયુઝિક્ષેપાત ! स्त्यानत्रिका हारकद्विकच्छेदः षट्सप्तिरप्रमत्ते ॥१७।। અર્થ -( રોગ) આઠ પ્રકૃતિને છેદ થાય એટલે [પત્તિ ] પ્રમત્તગુણસ્થાનકે (રૂાણી) એકાદશી પ્રકૃતિએ હેય, કારણ કે ત્યાં ( કાઢવા) આહાર કદ્ધિકને પ્રક્ષેપ થાય, ત્યાં ( થીતિ-રાહુ છે) થીણદ્વિત્રિક અને આહારદ્ધિક છેદ થાય, તેથી [ પ મ ] અપ્રમત્તગુણસ્થાનકે [ અસરિ] છેતર પ્રવૃતિઓ હાય. વિવેચન દેશવિરત ગુણસ્થાનકે પૂર્વે કહેલી સત્યાશી પ્રકૃતિમાંથી તિર્યંચગતિ, તિર્યંચાયુષ, નીચગેત્ર, ઉદ્યોતનામ અને ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ ચાર કષાય-એ આઠ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય એટલે ઓગણએંશી પ્રકૃતિઓ બાકી રહે, તેમાં આહારકશરિનામ અને આહારક અંગે પાંગનામને પ્રક્ષેપ કરતાં એકાશ પ્રકૃતિએ ઉદયમાં પ્રમત્તસંયત ગુણસ્થાનકે હેય, કારણ કે આહારકલબ્ધિ પ્રાપ્ત થતિને આહારકશરીર કરતાં આહારકશરીરનામ અને આહારસંગોપાંગનામને ઉદય હોય છે. અને તે લબ્ધિને ઉપયોગ કરતાં તેની ઉત્સુકતાના કારણે તેને તે વખતે પ્રમાદ હેવાથી પ્રમત્તગુણસ્થાનક હોય છે. તેથી જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય બે, મેહનીય ચૌદ, આયુષ એક, નામકમ ચુંમાલીશ, ગોત્રકમે એક અને અન્તરાયકર્મ પાંચ -સર્વે મળીને પ્રમસંવતગુણસ્થાનકે એકાશી પ્રકૃતિને ઉદય હોય છે. ત્યાં થીદ્વિત્રિક-થીણુદ્ધિ, નિદ્રાનિદ્રા અને પ્રચલા પ્રચલા; તથા આહારકશરીરનામ અને આહારક અંગોપાંગનામ-એ
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy