________________
ઉદય
- ૨૪૫ થાય છે, એટલે દેશવિરતિગુણસ્થાનકે સત્યાગી પ્રકૃતિએ હેય, કેમકે જ્યાં સુધી બીજા કષાયને ઉદય હોય ત્યાં સુધી દેશવિરતિ, ની પ્રાપ્તિ ન થાય. જેણે પૂર્વે દેશવિરત્યાદિ પ્રાપ્ત કરેલ છે, તેને પણ બીજા અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયને સંભવ નથી, માટે દેશવિરત્યાદિ ગુણસ્થાનકે તેના ઉદયને અભાવ હેય છે. મનુષ્યાનુપૂર્વ અને તિર્થ ચાનુપૂવીને ઉદય પરભવ જતાં પ્રથમના ત્રણ સમયે અન્તરાલગતિમાં હોય છે. મનુષ્ય અને તિર્યંચને આઠ વર્ષની ઉમ્મર બાદ દેશવિરત્યાદિ ગુણસ્થાનકોને સંભવ છે. માટે તેને મનુષ્યાનુપૂર્વી અને તિર્થ". ચાનુપૂવીને સંભવ નથી. દેવત્રિક અને નરકત્રિકને ઉદય દેવે અને નારકોને જ હોય છે અને તેઓમાં દેશવિરત્યાદિ ગુણસ્થાનકે દેતા નથી. વૈક્રિયશરીર અને વૈક્રિયઅંગોપાંગને ઉદય દેવ અને નારકેને ભવપ્રત્યયિક હોય છે. યદ્યપિ તિર્યંચ અને મનુષ્યને વૈક્રિયશરીર ગુણનિમિત્તક હોય છે, પરંતુ અહીં ભવનિમિત્તક વૈક્રિયશરીર અને વૈક્રિયનામકર્મની વિવેક્ષા હોવાથી દેશવિત્યાદિ ગુણસ્થાનકે તેના ઉદયની પૂર્વાચાર્યોએ વિવક્ષા કરી નથી. દૌર્ભાગ્ય, અનાદેય અને અપયશકીતિ-એ ત્રણ પ્રકૃતિએ દેશવિરત્યાદિ ગુણસ્થાનકે વિરતિના સદ્દભાવથી ઉદયમાં હતી નથી. માટે એ પ્રકૃતિએ આવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે વિચ્છિન્ન થયેલી જાણવી, એટલે દેશવિરતિ ગુણસ્થાનકે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય બે, મેહનીય અઢાર, આયુષ છે, નામકર્મ ચુમ્માલીશ, ગેત્રકમ બે અને અન્તરાયકર્મ પાંચ-સર્વે મળીને સત્યાશીપ્રકૃતિઓ ઉદયમાં હોય છે.