________________
ગુણસ્થાનક.
૨૦૩
ખ્યાનાવરણ કષાયના ઉદયથી તેનું પાલન કરવા અસમર્થ થાય તે અવિરત સમ્યગ્દષ્ટિ કહેવાય છે. કહ્યું છે કે-અવિરતિ નિમિત્તક કર્મના બન્ધ અને રાગદ્વેષના દુઃખને જાણવા છતાં પણ વિરતિનું પાલન કરવા અસમર્થ હોય, પોતાના પાપકર્મની નિંદા કરતે, જીવાજીવ તત્ત્વને જાણત, અચલિત શ્રદ્ધાવાળો અને જેને મેહ ચલિત થયું છે એ જીવ અવિ. રતિસમ્યગ્દષ્ટિ કહેવાય છે. તેના જ્ઞાનાદિગુણના સ્વરૂપને અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનક કહે છે.
૧. જેઓ ૧ વિરતિના સ્વરૂપને યથાર્થ જાણતા નથી, ૨ સ્વીકાર કરતા નથી, અને ૩ તેનું પાલન કરતા નથી એ ત્રણ પદેના આઠ ભાંગા થાય છે. –
૧. જેઓ વિરતિના સ્વરૂપને યથાર્થ જાણતા નથી સ્વીકાર કરતા નથી, અને પાલન પણ કરતા નથી તે સામાન્યતઃ સવ' છો.
* ૨, જેઓ જાણતા નથી સ્વીકારતા નથી, પણ પાલન કરે છે તે અજ્ઞાન તપસ્વી,
૩. જાણતા નથી, સ્વીકારે છે, પણ પાલન કરતા નથી તે પાર્થસ્થાદિ. -
૪. જાણતા નથી, સ્વીકાર અને પાલન કરે છે, તે અગીતાર્થ મુનિ.
૫. જાણે છે, સ્વીકાર તથા પાલન કરતા નથી તે શ્રેણિકાદિ.
૬. જાણે છે, સ્વીકાર કરતા નથી, પણ પાલન કરે છે તે અનુત્તરવિમાનવાસી દેવ.
૭. જાણે છે, સ્વીકાર કરે છે, પણ પાલન કરતા નથી તે સંવિપાક્ષિક મુનિ. : ૮. જાણે છે, સ્વીકાર કરે છે અને પાલન કરે છે તે દેશવિરતિ અને સર્વવિરતિ (અનુસંધાન આગળના પેજમાં જુઓ.)