SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ર્તા ન જ હોય તે ભક્તા પણ શી રીતે હોઈ શકે, અને ભોક્તત્વ તે પ્રત્યક્ષ જોઈએ છીએ. તે કર્મના કર્તે ત્વથી નિવૃત્ત થવું એ સર્વ શાસ્ત્રનું પ્રયોજન છે. તેથી આત્મા કર્મનો કર્તા છે, અને દુઃખ એ કર્મનું ફળ છે. આત્મા નિમિત્તની સત્તાવડે કર્મ કરે છે તેથી કર્મ કરવાને તેને સ્વભાવ છે એમ ઠરતું નથી, કારણ કે તે પાધિકભાવે કરે છે, સ્વાભાવિક નહિ. નિમિત્તનો ત્યાગ થતાં કર્મબંધને પણ ત્યાગ થાય છે. ' ' આ ઉપરથી એટલું નિશ્ચિત થાય છે કે કર્મ આવવાનું મૂળ કારણ રાગદ્વેષાદિ અંતરંગ પરિણામ છે અને તે જ સંસાર પરિભ્રમણને હેતુ છે. શરીર-વસ્ત્રાદિ બાહ્ય સામગ્રી કમ આવવાનું કારણ નથી. જે બાહ્ય સામગ્રી બંધની નિયામક હોત તે આત્મા કદી સંસારમુક્ત થઈ શક્ત નહિ. કર્મબંધનું નિયામક તે તે સામગ્રીમાં રહેલી મમત્વભાવના છે. જ્યાં સુધી મમત્વભાવ વર્તે છે ત્યાં સુધી બાહ્યસામગ્રીને વેગ હોય કે ન હોય તે પણ કર્મનું આગમન સમાન રીતે ચાલુજ હોય છે, જે મમત્વભાવના ન હોય તો બાહ્ય સામગ્રી હોવા છતાં તેથી નિબંધ રહેવાને લીધે તે કર્મબંધક થતું નથી. પ્રકૃતિબંધ અને પ્રદેશબધે--મન, વચન અને શરીરદ્વારા થતા આત્મપ્રદેશના પરિસ્પંદને યોગ કહે છે અને તે ચગવડે કામ વર્ગણા આત્મા પ્રતિ આકર્ષાય છે. એમની અલ્પતા હોય તે થોડી કામણવર્ગ શા ગૃહીત થાય છે અને
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy