________________
શકતા નથી, પણ નિર્બળ આત્માને જલદી અસર કરે છે; તેમ હતુઓની સત્તા વીર્યવાન આત્માને રજિત કરી શકતી નથી. વીર્યવાન આત્મા તે અજિતભાવે હેતુઓની સત્તાને પરાભવ કરે છે. ઉદયકાળ બાળ અને જ્ઞાની પુરુષને સમાન જ હોય છે. પરંતુ જ્ઞાની પુરુષો ઉદયકાળે અત્યંત સાવધાન હોય છે, તેથી વિભાવ પરિણતિને ભજતા નથી. અને અજ્ઞાની જ અસાવધાન પણાથી વિભાવપરિણામને આધીન થઈ જાય છે.
કર્મનો કર્તા--જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મના ઉદયથી ઉપસ્થિત થતા ભાવકર્મવડે જીવ દ્રવ્યકર્મ બાંધે છે. મોહનીયકમના ઉદયવડે થતા મિથ્યાત્વ અને કપાયભાવ જીવથી ભિન્ન નથી, જીવના જ પરિણામરૂપ છે અને તે પરિણામને કર્તા પણ જીવ પોતે જ છે. કર્તા અને કર્મ એ બને જીવમાં જ સમાયેલાં છે. પરંતુ તે વિભાવપરિણામરૂપ હેવાથી અને વિભાવપરિણામ મોહનીયકર્મના નિમિત્તથી થતું હોવાથી જીવના સ્વભાવરૂપ ગણવા ગ્ય નથી. તેથી કર્યગ્રહણ પાધિક છે, સ્વાભાવિક નથી. શુદ્ધ ચેતન્યસ્વરૂપ પ્રાપ્ત થયા પછી આત્મા કમને કર્તા નથી, પરંતુ સ્વભાવને જ કર્તા છે. વેદાન્ત અને સાંખ્ય દર્શન આત્માને શુદ્ધ, અકર્તા અને અભક્તા માને છે તે સર્વાશે સત્ય નથી, પણ નિશ્ચય નયની દષ્ટિથી સત્ય છે. જે આત્મા કર્મને કર્તા ન જ હોય તે દુઃખની પરંપરા ક્યાંથી પ્રાપ્ત થાય અને દુઃખની અત્યંત નિવૃત્તિ માટે જે શાસ્ત્રકારોએ ઉપાય બતાવેલા છે તેની સફળતા શી રીતે થઈ શકે? જે કર્મનો