________________
ગુણસ્થાનક
૧૯૭
( લૌન ) ક્ષમાહુ, ( સૌત્તિ )સયાગિકેવલી, અને { ઝોત્તિ) અયાગિકેવલી-એ (મુળાઃ) ગુણસ્થાનકો છે.
વિવેચન:- જ્ઞાન, દર્શન-સમ્યગ્દર્શન અને ચારિત્ર એ આત્માના સ્વાભાવિક ગુણા છે, તે ગુણા પ્રતિબન્ધક કર્મીના સબન્ધથી આચ્છાદિત થયેલા છે, તે કર્માંના વત્તા કે ઓછા અંશે દૂર થવાથી પ્રગટ થયેલા જ્ઞાનાદ્વિગુણાના સ્વરૂપ વિશેષને ૧ ગુણસ્થાનક કહે છે. પ્રથમ ગુણસ્થાનકે પ્રતિઅન્યક કર્માંની અધિકતા હોવાથી વિશેષ અશુદ્ધિ અને સ્વલ્પાંશે જ્ઞાનાદિચુણા પ્રગટ થયેલા હોય છે, અને દ્વિતીયાદિ ગુણસ્થાનકે પૂર્વ પૂર્વ ગુણસ્થાનકની અપેક્ષાએ ક્રમના અધિક અધિક શે અપગમ થવાથી અધિક અધિક શુદ્ધ જ્ઞાનાદિ ગુણા પ્રકટ થયેલા હાય છે, અને અલ્પ અલ્પ અશુદ્ધિ હાય છે.
શિષ્ય:- હે ભગવન્ ! સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરીએ તે જીવના જ્ઞાનાદિગુણ્ણાના સ્વરૂપની ભિન્નતા-વિશેષતા અસંખ્ય થાય, માટે ગુણસ્થાનક પણ અસંખ્ય કહેવા જોઇએ, અને અત્યંત સ્થૂલષ્ટિએ વિચાર કરતાં અત્યંત સક્ષેપથી માત્ર આત્માના જ્ઞાનાદિ પરિણામને ગુણસ્થાનક કહીએ તે એક જ ગુણસ્થાનક · કહેવુ જોઈએ, તેા શા માટે ચૌદ ગુણસ્થાનકે કહ્યા ?
ગુરુઃ- ખાપુ ! સાંભળ, તારી વાત ખરાબર છે. સૂક્ષ્મ દૃષ્ટિથી જ્ઞાનાદિ ગુણાના સ્વરૂપની વિશેષતા અસ`ખ્ય પ્રકારની છે, તેથી ગુણસ્થાનકો પણ અસંખ્ય છે, પરન્તુ સઈજ્ઞ સિવાય
૧. અહીં સ્થાનશબ્દ અધિકરણવાચી નથી, પણ ભેદ-વિશેષવાચક છે, જેમ કે, જીવસ્થાનક, માગણુાસ્થાનક, જીવના ભેદ, માગ ણાના ભેદ; અર્થાત્ ગુણાના-જ્ઞાન દર્શન અને ચારિત્રને ભેદ-તરતમભાવ-વત્તા ઓછા `શે આવિર્ભાવ થા તે ગુણસ્થાનક.