SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ કમવિપાક વિવેચનસહિત ગુણના વર્ણનાત્મક સ્તુતિના બહાનાથી સામાન્ય રીતે સર્વ જીવને આશ્રયી ગુણરથાનમાં બન્ય, ઉદય, ઉદીરણા અને સત્તામાં કયા ક્યા કર્મની કેટલી કેટલી પ્રકૃતિએ હોય છે, અને કેટલી પ્રકૃતિઓને વિચ્છેદ થાય છે તે અહીં બતા વવાને ગ્રન્થકારને ઉદ્દેશ છે. મિથ્યાત્વાદિ હેતુઓથી નવીન કર્મને દૂધ અને પાણીના જે અથવા અગ્નિ અને લેઢાના જે સંબંધ થવે તે બધે. ઉદયસમય પ્રાપ્ત થતાં, કર્મના શુભાશુભ ફલને અનુભવ કરે તે ઉદય. ઉદયસમય પ્રાપ્ત થયા બાદ જે કર્મના ફલને પછીથી અનુભવ કરવાનો છે તેને, અધ્યવસાયના પ્રયોગથી પહેલાં અનુભવ કરવો તે ઉદીરણ. ૧ કર્મને બન્ધ થયા પછી અમુક સમય વ્યતીત થયા બાદ તેના ફલને અનુભવ થાય છે, જ્યાં સુધી કર્મના ફલને અનુભવ ન થાય ત્યાં સુધીના કાલને (ઉદયરૂપ બાધા નહિ કરતે હેવાથી) અબાધાકાલ કહે છે. દરેક કમને અબાધાકાલ સ્થિતિના અનુસાર ભિન્ન ભિન્ન પ્રકાર હોય છે. જે કર્મની દીર્ઘ સ્થિતિ હોય તો તેને અબાધાકાલ માટે હોય છે, અને તેની નાની સ્થિતિ હોય તો તેને અબાધાકાલ ટુંકે હેય છે. દરેક કર્મને જઘન્ય અબાધાકાલ અન્તર્યું. હતને હેય છે. કવચિત સ્વાભાવિક કમથી, અને કવચિત અપર્વતના કરણવડે (કર્મની સ્થિતિ અને રસને ઓછો કરનાર અધ્યવસાયવડે) સ્થિતિના ઘટવાથી અબાધાકાલ પણ ઘટે છે. અબાધાકાલ વીત્યા પછી ક્રમશઃ કર્મના ફલને અનુભવ થાય છે તેને “ઉદયસમય' કહે છે. ૨ અબાધાકાલ વ્યતીત થયા પછી ક્રમશ; કોઈ પણ કિમના
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy