SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ख परिशिष्ट પૃ. ૩૭. શ્રુતજ્ઞાન, મહાવાદી સિદ્ધસેન દિવાકર કહે છે કે, મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન ભિન્ન નથી. “ વૈતિકતવ્ય 7 માધિમાં મૃતના” વ્યર્થતા અને અતિપ્રસંગ દોષથી મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન ભિન નથી, જ્યાં મતિજ્ઞાનથી ભિન્ન શ્રુતજ્ઞાન કહ્યું છે ત્યાં જોવેસ્ટિગાય ને આશ્રયી ભિન્નતા જાણ. પૃ. ૫૪. મન:પર્યાય જ્ઞાનના સંબધુમ મહાવાદી કહે છે કે બાહ્ય અથનું અનુમાન કરાવનાર મનેદ્રવ્યના આકારને ગ્રહણ કરનાર (મન:પર્યાય) જ્ઞાન અવધિજ્ઞાનને જ ભેદ છે. તેમાં વિશેષતા એટલી છે કે તે અપ્રમત્તસંયમવિશેષજન્ય છે. સૂત્રમાં ભિન્નતા કહેલી છે તે ઉપરના ધર્મભેદને લીધે છે. સૂત્રમાં કહેલા જ્ઞાનને પાંચ પ્રકારને ઉચ્છેદ થવાથી ઉત્સુત્ર પ્રસંગ પ્રાપ્ત થતું નથી, કેમકે જેમ વ્યવહારથી ભાષા ચાર પ્રકારની હોવા છતાં નિશ્ચયથી બે પ્રકારની કહી છે તેમ નયના વિવેકથી ઉપરનું કથન છે તેથી ઉત્સુત્રને અભાવ છે. . અહીં અવધિજ્ઞાન અને મનપર્યવ જ્ઞાનના સંબન્ધમાં દિગબર સાહિત્યમાં ભિન્નતા છે. અવધિજ્ઞાનની ઉત્પનિ શંખ આદિ શુભ ચિહ્નવાળા અંગમાં જે આત્મપ્રદેશે રહેલા છે તેથી થાય છે અને તે ચિહ્નોને સર્વ અંગમાં સંભવ હોવાથી સર્વ પ્રદેશમાં તેને ક્ષયોપશમની યોગ્યતા છે, પરંતુ મન:પર્યવજ્ઞાનને સ બન્ધ દ્રવ્ય મન સાથે છે, અને દ્રવ્ય મનનું સ્થાન હૃદયમાં હોવાથી ત્યાં રહેલા આત્મપ્રદેશમાં મન:પર્યાવજ્ઞાનને ક્ષયોપશમ થાય છે. તેમની દ્રવ્ય મનના સંબંધમાં પણ વિચિત્ર કલ્પના છે. દ્રવ્ય મન હૃદયમાં છે અને તેને આકાર આઠ પત્રવાળા કમલના જે છે
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy