SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ क परिशिष्ट ના ૩ બાદરનામ–જેના ઉદયથી ચક્ષુથી દેખી શકાય તેવા શરીરની પ્રાપ્તિ થાય તે બાદરનામકર્મ. યદ્યપિ પૃથ્યાદિ એક એક જીવનું શરીર ચક્ષુથી દેખી શકાતું નથી તે પણ બાદરપરિણામ વડે ઘણા શરીરે મળવાથી ચક્ષુથી દેખી શકાય છે. . ૪. સૂક્ષમનામ:-જેના ઉદયથી પ્રાણીઓનાં ઘણાં શરીરે એકત્ર મળવા છતાં પણ આંખે ન દેખી શકાય તે મૂમનામ કર્મ. પ. પર્યાતનામ–જેના ઉદયથી પ્રાણી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરે તે પર્યાપ્ત નામ કર્મ. પર્યાપ્તિ એટલે જીવની શક્તિ, પુગલના ઉપચયથી થયેલી આહારાદિ પુદ્ગલેને ગ્રહણ કરી સિદ્ધિરૂપે પરિણમાવવાની તથા અવલંબન કરી મૂકવાની આત્માના શકિતવિશેષ તે પર્યાપ્તિ. તેથી સ્વગ્ય આહાર, શરીર અને ઇન્દ્રિય યોગ્ય પુગલે ગ્રહણ કરી રસાદિરૂપે પરિણાવે છે, તેમજ શ્વાસે શ્વાસ, ભાષા અને મન-વર્ગણના પુદ્ગલે ગ્રહણ કરી, પરિણાવી અવલંબન કરી તેને મૂકે છે. ( ૬. અપર્યાપ્ત નામ–જેના ઉદયથી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરી શકે તે અપર્યાપ્તનામ કમ. ૭. પ્રત્યેકનામ–જેના ઉદયથી દરેક જીવને ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ થાય તે પ્રત્યેકનામ કમ. - પ્ર–-સિદ્ધાતમાં આમ્ર નિંબ આદિ વિના મૂલ શાખા આદિ દરેક અવયવે અસંખ્યાત છવયુક્ત કહેલ છે, પરંતુ તે મનપની પેઠે અખંડ એક શરીરવાળા જણાય છે, તે તેમને પ્રત્યેક નામ કમને ઉદય કેમ કહી શકાય? કેમકે દરેક જીવને ભિન્ન ભિન્ન શરીર દેખાતું નથી. ઉ૦-આંબા પ્રમુખ પ્રત્યેક વનસ્પતિના મૂયાદિમાં રહેલા અસંખ્યાત જીવોમાં દરેકના ભિન્ન ભિન્ન શરીર છે, પરંતુ ચીકાશ વાળા દ્રવ્યથી મિશ્રિત તલસાંકળીની પેડે પ્રબલ રાગદેપવડે સંચિત
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy