________________
क परिशिष्ट
૧૭૫
લક્ષણાદિ સહિત હોય, અને હસ્તપાદાદિ લક્ષણ રહિત હોય તે વામન સંસ્થાન. (૬) જ્યાં સર્વ અવયવો પ્રમાણ અને લક્ષણથી રહિત હોય તે હુંડ સંસ્થાન કહેવાય છે.
૯ વર્ણનામ-વર્ણ પાંચ પ્રકારે છે. શ્વેત, ૨. પીત, ૩. રક્ત, ૪. નીલ, ૫. કૃષ્ણ. તેનું કારણ જે કર્મ તે વર્ણનામકર્મ. તે પણ પાંચ પ્રકારે છે. જેના ઉદયથી પ્રાણીને શરીરે ભવેત વર્ણ પ્રાપ્ત થાય તે હેતવર્ણનામકમ. એ રીતે આગળની પ્રકૃતિઓ જાણી લેવી.
૧૦ ગંધનામ-ગધ બે પ્રકારનો છે -૧સુરભિગબ્ધ, અને ૨. દુરભિગધે. તેનું કારણ જે કમ તે ગબ્ધનામકર્મ, તે બે ભેદે છે, જેના ઉદયથી પ્રાણીના શરીરે સુરભિગધ પિદા થાય તે સુરભિગધનામ કમ. તેમ તેનાથી વિપરીત દુરભિગધનામકર્મ પણ જાણવું.
૧૧ રસનામ-જીભથી જેનું જ્ઞાન થાય તે રસ, તેના પાંચ પ્રકાર છે-૧. તિક્ત, ૨. કટુ, ૩, કષાય (તુર), ૪. અમ્લ (ખાટો), ૫, મધર (મીઠ), તેનું કારણભૂત જે કમ તે રસનામ કર્મ, તે પાંચ પ્રકારે છે. તેમાં જેના ઉદયથી પ્રાણીનું શરીર મરી પેઠે તિક્ત રસવાળું હોય તે તિક્તરસનામ કમ. એ પ્રમાણે બીજી પ્રવૃતિઓ વિષે પણ સમજી લેવું. .
૧૨ સ્પર્શનોમ-સ્પશનેન્દ્રિય માત્રથી જે જણાય તે સ્પર્શ. તેના આઠ ભેદ છે-૧. કર્કશ, ૨. મૃદુ, ૩. લઘુ, ૪, ગુરુ. ૫, સ્નિગ્ધ, ૬. રૂક્ષ, ૭. શીત, ૮. ઉષ્ણ, તેનું કારણ જે કમ તે સ્પશનામ એ. જેના ઉદયથી જતુઓના શરીર પાષાણાદિની પેઠે કર્કશ હોય તે કીશનામ કર્મ. એ પ્રમાણે બીજી પ્રકૃતિઓ વિષે પણ જાણવું
૧૩ આનુપૂવીનામ-વિગ્રહગતિ વડે ભાતરમાં જતા જીવનું આકાશ પ્રદેશની શ્રેણું અનુસારે નિયત ગમન તે આનુપૂર્વી. તેનું કારણ જે કર્મ પ્રકૃતિ તે આનુપૂવીનામ કમ, તેના ચાર પ્રકાર છે. નરગત્યાનુપૂર્વી, ૨. તિગત્યાનુપૂર્વી, ૩. મનુષ્યગત્યાનુપૂવી ૪. દેવગત્યાનુપૂવી.