________________
૧૭૪
क परिशिष्ट
હેય એવી મજબૂત હાડની રચનાને વજઋષભનારા સંહનન કહે છે. ' ' તેમાં માત્ર ખીલી રહિત હેય એવી રચના તે બીજુ રૂષભ નારા, સંહનન. જ્યાં હાડકાંઓ પરસ્પર બંને પાસે મટબંધ માત્રથી બંધાયેલ હોય તે મારા સંહની. જ્યાં એક પાસે ખીલી અને બીજે પાસે માત્ર મર્કટ બંધ હોય તે અર્ધનારાચસંધયણ. જ્યાં ખીલી માત્રથી સંકલિત થયેલ હાડકાંઓ છે તે કલિકાસંઘયણ. જ્યાં હાડકાના છેડા પરસ્પર અડકીને રહેલ હોય તે સેવા અથવા છેવટું. અહીં દરેક સંધયણમાં અસ્થિના બંધનું તારતમ્ય વિવક્ષિત છે. તેના કારણભૂત જે કમ તે સંહનાનામ કમ. તેના પણ છ પ્રકાર છે.
૮. સંસ્થાનનામ–શરીરના આકારવિશેષને સંસ્થાન કહે છે. તેના છ પ્રકાર છેઃ-૧. સમચતુરસ્ત્ર, ૨ ધપરિમંડલ, ૩. સાદિ, ૪. કુજ, ૫. વામન, ૬. હુંડ. તેના કારણભૂત જે કમ તે સંસ્થાન. નામ કર્મ. જેના ઉદયથી સમચતુરસ્ત્ર સંસ્થાન પ્રાપ્ત થાય તે સમચતુરસામર્મ. એ રીતે આગળ પણ જાણી લેવું. (૧) સામુદ્રિક શાસ્ત્રોક્ત પ્રમાણ અને લક્ષણયુક્ત શરીરનો ચાર બે જુએ જેમાં છે તે સમચતુરઢ સંસ્થાન. (૨) જેમાં વડની પેઠે નાભિની ઉપરને ભાગ સંપૂર્ણ લક્ષણયુક્ત અને નીચેનો ભાગ લક્ષણહીન હોય તેવી શરીરની આકૃતિ તે ન્યગ્રોધ પરિમંડલ. (૩) જેમાં માત્ર નાભિની નીચેનો ભાગ શાસ્ત્રોક્ત લક્ષણ સહિત હેય અને ઉપરને ભાગ લક્ષણહીન હોય તે સાદિ કોઈ આચાર્યો સાદિને બદલે “સાચી' કહે છે. સાચી એવું શાલ્મલી તરુનું નામ છે. તે ઝાડને નીચે ભાગ સ્કન્ધાદિથી પુષ્ટ હોય છે, અને ઉપરને ભાગ તે વિશાલ હોતે નથી. તેની પેઠે આ સંસ્થાનમાં શરીરની નીચેને ભાગ લક્ષણયુક્ત હોય છે, અને ઉપરને ભાગ તે હેત નથી. (૪) જ્યાં મસ્તક, ગ્રીવા. હાથ, પગ આદિ પ્રમાણે પેત અને લક્ષણે પેત હય, અનેઉર ઉદાદિ અપ્રશસ્ત-લક્ષણહીન હેય તે કુમ્ભસંસ્થાન. (૫) જ્યાં ઉર ઉદરાદિ