________________
क परिशिष्ट
૧૬૯ ૪. સંજ્વલન –પરિષહ અને ઉપસર્ગો પ્રાપ્ત થવાથી યતિને પણ કાંઈક જવલિત-કવાયયુક્ત કરે તે સંજવલન કષાય; આ કષાય યથાખ્યાત ચારિત્રને પ્રતિબંધક છે. તેને પણ પૂર્વોક્ત ચાર ભેદ છે.
ત્રણ વેદ અને હાસ્યાદિક પક એ રીતે નેકષાય મોહનીય નવ પ્રકારે છે. “ ને ' શબ્દ સાહચર્યવાચી છે. તે આદિના બાર કષાયના સહચારી હોવાથી તેને કાય કહ્યા છે. કહ્યું છે કે“આદિના બાર કષાયોને ક્ષય થવાથી નોકષાય ટકી શકતા નથી, કેમકે તેને ક્ષય કરવા તરત જ લપકની પ્રવૃત્તિ થાય છે; ” અથવા ઉદિત થયેલા હાસ્યાદિ અવશ્ય કોને ઉદ્દીપન કરે છે. માટે તે કષાયના પ્રેરક કહેવાય છે.
*कषायसहवर्तित्वात् कषायप्रेरणादपि ।
हास्यादिनवकस्योक्ता नोकषायकषायता ।
સ્ત્રીવેદ–જેના ઉદયથી સ્ત્રીને પુરુષ પ્રતિ વિષયાભિલાષ થાય. જેમ પિનના પ્રકોપથી મધુરની ઈચ્છા થાય તે સ્ત્રીવેદ. ' ૨. પુરષદ --જેમ કફને કાપથી અમ્લ પદાર્થની રુચિ થાય, તેમ જેના ઉદયથી પુરુષને સ્ત્રી પ્રતિ વિદ્યાભિલાષ થાય તે પુરુષવેદ,
૩. નપુંસકદા--જેના ઉદયથી સ્ત્રી અને પુરુષ બન્ને તરફ વિષયાભિલાષ થાય, જેમ પિત્ત અને કફના પ્રકોપથી ખાટા અને મીઠા પદાર્થની ઈચ્છા થાય તે નપુંસકવેદ
૪. હાસ્યમોહનીય:--જેના ઉદયથી દર્શન કે શ્રવણદિ બાહ્ય નિમિત્તથી અથવા બાહ્ય નિમિત્ત વિના કેવળ સ્મરણાદિ આંતર નિમિત્તથી હાસ્ય ઉત્પન્ન થાય તે હાસ્યમહનીય.
* કષાયના સહચારી અને પ્રેરક હાસ્યાદિ નવ પ્રકૃતિને નેકષાય ક્યા છે.