________________
૧૬૮
क परिशिष्ट હનીય કમની અઠયાવીશ પ્રકૃતિએ:મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય, અને સભ્યત્વમોહનીચ એ ત્રણ દર્શન મોહનીય; સોળ કપાય, અને નવ નકવાય-એ પ્રકારે મોહનીય કર્મની અઠયાવીશ ઉત્તર પ્રવૃતિઓ છે.
૧. મિથ્યાત્વમોહનીય–જેના ઉદયથી જિનપ્રભુત સત્ય તત્વની રુચિ ન થાય તે મિથ્યાત્વમેહનીય.
૨. મિશ્રમેહનીય –જેના ઉદયથી જિનપ્રણીત તત્વ ઉપર રુચિ તેમ અરુચિ ન હોય તે મિશ્રમોહનીય.
૩. સમ્યકત્વમેહનીયઃ—જેના ઉદયથી જિનપ્રણીત તત્વની રુચિ થાય તે સમ્યફત્વમોહનીય.
અહીં મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીય સમ્યગ્દર્શનનું પ્રતિબંધક હેવાથી, અને સભ્યત્વમોહનીય ઓપશમિક અને ક્ષાયિકસમ્યત્વમાં પ્રતિબન્ધક હોવાથી ત્રણે પ્રકૃતિઓને દર્શનમોહનીય કહેલી છે.
જેનાથી કાને–સંસારને, આય-લાભ થાય તેને કષાય કહે છે; તેના ક્રોધ માન માયા અને લોભ-એ ચાર નદી છે. તે દરેકના અનુત્તાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંવલને એ ચાર ચાર ભેદ હેવાથી કવાયના સોળ ભેદ થાય છે.
૧, અનન્તાનુબંધી:–જીવ સાથે અનન સ સારને સંબન્ધ કરાવનાર જે કષાય તે અનન્તાનુબંધી. તેને સંયોજન પણ કહે છે, કેમકે તે જીવને અનન્ત સંસાર સાથે જોડે છે. તેને કોઈ માન, માયા અને લોભ-એ ચાર ભેદ છે, અને તે સમ્યમાં પ્રતિબંધક છે. - ૨. અપ્રત્યાખ્યાન: જેના ઉદયથી સ્વપ પણ પ્રત્યાખ્યાનનો વિરતિને પરિણામ ન હોય તે અપ્રત્યાખ્યાન કષાય. તે દેશવિરતિમાં પ્રતિબંધક છે. તેના કોધ માન માયા અને લેભ એ ચાર પ્રકાર છે.
૩, પ્રત્યાખ્યાનાવરણ––જેના ઉદયથી સર્વ વિરતિના પરિ. ણામરૂપ પ્રત્યાખ્યાન ન હોય તે પ્રત્યાખ્યાનાવરણ, તે સવ’ વિરતિમાં પ્રતિબંધક છે. તેના ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર ભેદ છે.