________________
क परिशिष्ट
૧૬૭ મર્યાદાએ ઈત્યાદિ નિરપેક્ષ રૂપિદ્રવ્યવિષયક સામાન્ય અવધ તે અવધિદર્શન, તેનું જે આચ્છાદન કરે તે અવધિદર્શનાવરણ
૪. કેવલદશનાવરણ –સવદ્રવ્યર્યાયવિયકલિક સામાન્ય ન્ય અવબોધ તે કેવલ દર્શન, તેને જે ઢાંકે તે કેવલદર્શનાવરણ
૫. નિદ્રા –જે અવસ્થામાં સુખેથી જાગૃત થઈ શકે તેવી ઊંધ તે નિદ્રા. તેનું કારણ જે કર્મ તે પણ નિદ્રા.
૬. નિદ્રાનિદ્રા –ઘણા કષ્ટથી જાગૃત થઈ શકાય એવી ઊંધ તે નિદ્રાનિદ્રા, તેનું કારણ જે કમ તે નિદ્રાનિદ્રા.
૭. પ્રચલા:–બેઠાં અથવા ઊભા રહેલાને જે નિદ્રા પ્રાપ્ત થાય તે પ્રચલા, તેનું કારણ જે કમ તે પણ પ્રચલા.
૮. પ્રચલપ્રચલા:ચાલતાં જે ઊંધ આવે તે પ્રચલા પ્રચલા, તેનું કારણ જે કમ તે પણ પ્રચલાવેલા.
૯. ત્યાનદ્ધિ ( થીણુદ્ધિ ):–સ્યાન–એકઠી થયેલ છે ઋદ્ધિ-આત્મશક્તિ અથવા વૃદ્ધિ-વાસના જે નિદ્રામાં છે ત્યાનદ્ધિ અથવા સ્યાનગૃદ્ધિ કહેવાય છે. તે નિદ્રામાં દિવસે ચિંતવેલું કાર્ય ઊઠીને રાત્રે કરે છે. સ્વાદ્ધિનિદ્રાના ઉદયથી પ્રથમસંહનન યુક્ત મનુષ્યને અર્ધ વાસુદેવના જેટલું બલ પ્રાપ્ત થાય છે, અહીં નિદ્રાદિ દર્શનાવરણના ક્ષપશમથી પ્રાપ્ત થયેલ દર્શનલબ્ધિને ઘાત કરે છે, અને દર્શનાવરણચતુષ્ક દશનલબ્ધિને મૂલથી વાત કરે છે, . માટે નવ પ્રકૃતિને દર્શનાવરણ કહેલ છે.
વેદનીય કર્મની બે પ્રકૃતિઓ:
૧. સાતવેદનીય –જેના ઉદયથી પ્રાણી ઈષ્ટ સાધને દ્વારા સુખનો અનુભવ કરે તે સાતવેદનીય.
૨. અસાતવેદનીય –જેના ઉદયથી પ્રાણી અનિષ્ટ સાધનો દ્વારા દુઃખને અનુભવ કરે તે અસતા વેદનીય.